Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે વસતા 2112 લોકોનું સ્થળાંતર, 25 ગામોને એલર્ટ કરાયા

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (20:15 IST)
ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું ટકરાવાનું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે પગલે જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાના 2112 લોકો 42 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં વાગરામાં તાલુકાના 1415, જંબુસર તાલુકાના 649 અને હાંસોટ તાલુકાના 48 લોકોનો સમાવેશ થાય છે. તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના 25 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં જંબુસર તાલુકાના ઝામડી, ટંકારી, મોરોદપુર નેજા , નાળા, દેવલા, સારોદ, માલપુર, ખાનપુર, આસરસા, ઇસ્લામપુર, કાવી, દહેગામ અને કંબોઇનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાગરા તાલુકાના લખીગામ, વેંગણી, રહીયાદ, સુવા, દહેજ, લુવારા, અંબેટા, જાગેશ્વર, ગંધાર, કલાદરા અને કોલિયાદનો સમાવેશ થાય છે અને હાંસોટ તાલુકાના કંટીયાજાળ ગામનો સમાવેશ થાય છે. અંકલેશ્વરમાં મંગળવારના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ વરસાદ પડ્યો હતો. આલીયાબેટ ખાતે અલગ-અલગ કબીલામાં રહેતા 2 કબીલા દરિયા કિનારાની વધુ નજીક રહે છે. તેવા 2 કબીલામાં એક સ્થળેથી 20 તેમજ બીજા સ્થળેથી 30 લોકોને પરિવાર સાથે અન્ય કબીલા સમૂહને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Collector Salary:કલેક્ટરનું કામ સત્તા અને હોદ્દાનું, જાણો કેટલો છે પગાર, શું છે સુવિધાઓ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

આગળનો લેખ
Show comments