Webdunia - Bharat's app for daily news and videos

Install App

Power Yogaના ફાયદા વિશે જાણો.. વજન ઉતારવામાંં સટીક ઉપાય(see video)

Power Yogaના ફાયદા વિશે જાણો.. વજન ઉતારવામાંં સટીક ઉપાય(see video)
Webdunia
પાવર યોગાને સૂર્ય નમસ્કારના 12 આસનો અને કેટલાંક અન્ય આસનોને ભેગા કરીને બનાવવામાં આવ્યા છે. પાવર યોગા એક પ્રકારનો યોગ જ છે જેમાં તમારે માત્ર દિવસ દરમિયાન 45 મિનિટનો સમય આપવો પડે છે. પાવર યોગામાં બધી ક્રિયાઓ બહુ ઝડપથી વગર અટકે કરવામાં આવે છે. જેનાથી શરીરની કેલરી બર્ન થાય છે અને સારો એવો પરસેવો પણ છુટે છે.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
આગળ જાણો પાવર યોગાના લાભ વિશે 

પાવર યોગા કરવાથી થતાં લાભ -

-  કેલરી બળે છે.
-  શરીરનો સ્ટેમિના, તાકાત, ફ્લેક્સિબિલિટી વધે છે.
-  બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
-  પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે.
-  તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.

શું પાવર યોગા અન્ય કાર્ડિયો અને તાકાત વધારનારી કસરતો કરતા વધુ સારા છે ?

જ્યાં 1 કલાક પાવર યોગા કરવાથી શરીરની 200 કેલરી બર્ન થાય છે ત્યાં જ બીજી કસરતો, જેવી કે એરોબિક્સ, સ્વિમિંગ અને જોગિંગથી 1 કલાકમાં 300થી 400 સુધીની કેલરીબર્ન થઇ જાય છે. પણ પાવર યોગા તમારા શરીરને સારી રીતે ટોન કરે છે, એ પણ શરીરના કોઇપણ હિસ્સા પર વગર કોઇ ભાર આપે. માટે આ યોગ વૃદ્ધો માટે બહુ સારો ગણાય છે કારણ કે તેનો સ્નાયુઓ કે હાકડા પર કોઇ ખરાબ પ્રભાવ નથી પડતો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણવાર પાવર યોગા અચૂક કરો. આનાથી શરીરની કેલરી બાળવાની ક્ષમતા વધે છે જેનાથી સરળતાથી સ્થૂળતા ઓછી કરીને શરીરને આકર્ષક આકાર આપી શકાય છેય જો કમર દર્દ હોય તો પણ આ યોગ કરવાથી કરોડરજ્જુને તાકાત મળે છે.


પાવર યોગા વજન ઉતારવામાં સટીક છે જાણો આગળ 

-પાવર યોગમાં સખત અને સતત ક્રિયાઓ કરવાની હોય છે. એમાં એક જ ક્રિયાને ઝડપથી લગાતાર વારંવાર કરવામાં આવે છે. બધુ જોર શારીરિક શક્તિ અને લચક ઉપર હોય છે. લગાતાર ક્રિયાઓ કરવાથી પસીનો વધુ નિકળે છે. આથી વજન પણ ઝડપથી ઘટે છે. 
 
- પાવર યોગા ઝડપથી ફાયદો મેળવવા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પરંતુ પાવર યોગા જ્યાં સુધી કરવામાં આવે ત્યાં સુધી જ તેના ફાયદા મળે છે. આ યોગ બંધ કર્યા પછી શરીરમાં શિથિલતા આવી શકે છે. આ કારણે જ પાવર યોગ કોઈ યોગના નિષ્ણાત વ્યક્તિની સલાહ લઈને જ કરવા જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments