rashifal-2026

વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુઓને જમીન પર મુકવી હોય છે અશુભ, મુશ્કેલીઓથી ભરાય શકે છે જીવન

Webdunia
સોમવાર, 25 જાન્યુઆરી 2021 (16:45 IST)
વાસ્તુ શાસ્ત્રમાં અનેક વસ્તુઓ વિશે બતાવ્યુ છે. વાસ્તુ શાસ્ત્રમાં નોકરી, બિઝનેસ ઉપરાંત પૂજા પાઠની વસ્તુઓ વિશે પણ માહિતી આપી છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા પઆઠ સાથે જોડાયેલ અનેક નિયમ બતાવ્યા છે, જેનુ પાલન કરવુ શુભકારી હોય છે.  વાસ્તુ શાસ્ત્રમાં પૂજાપાઠ સાથે જોડાયેલી એવી અનેક વસ્તુઓ વિશે બતાવ્યુ છે.  જેને જમીન પર મુકવી અપશકુન માનવામાં આવે છે 
 
1. શાલીગ્રામ અથવા શિવલિંગ- શાસ્ત્રોમાં શાલિગ્રામ ભગવાન વિષ્ણુ અને શિવલિંગનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, તેઓને ક્યારેય પણ જમીન પર મુકવાની ભૂલ ન કરવી જોઈએ. મંદિરની સફાઇ દરમિયાન લોકોથી આ ભૂલ થવાની શક્યતા રહે છે. આવામાં સાફ સફાઈ કરતી વખતે કોઈ કપડામાં મુકીને કોઈ સ્વચ્છ સ્થાન પર મુકવુ જોઈએ. 
 
2. ધૂપ, દીપ, શંખ અને પુષ્પ - ભગવદ ગીતા મુજબ શંખ, દીપ, ધૂપ, યંત્ર, પુષ્પ, તુલસી, કપૂર, ચંદન, જપમાળા વગેરે વસ્તુઓ જમીન પર ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ બધી વસ્તુઓનો ઉપયોગ પૂજામાં થાય છે, તેથી તે ક્યારેય સીધી જમીન પર ન મૂકવી જોઈએ
 
3 રત્ન- શાસ્ત્રો અનુસાર મોતી, હીરા અને સોના જેવા કિંમતી રત્નો ક્યારેય સીધા જ જમીન પર ન મૂકવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ ધાતુનો સંબંધ અન્ય કોઈ ગ્રહ સાથે હોય છે. આવી સ્થિતિમાં તેમને સીધા જ જમીન પર મૂકવું અપશુકનિયાળ માનવામાં આવે છે. જો તમારી સાથે કોઈ રત્ન જોડાયેલું છે, તો તે સીધા જ જમીન પર ન મૂકવા જોઈએ.
 
4 સીપ - એવુ કહેવાય છે કે સીપની ઉત્પત્તિ સમુદ્ર દ્વારા થવાને કારણે તેનો સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે.  આ કારણે તેને સીધા જમીન પર ન મુકવી જોઈએ. મા લક્ષ્મીની ઉપાસનામાં છીપ અને કોડીનુ વિશેષ મહત્વ છે. તેથી તેમને જમીન પર ન મુકવા જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથ મંદિર દેશ માટે એક રોલ મોડેલ બની ગયું છે, જે 363 મહિલાઓને વાર્ષિક 9 કરોડની રોજગારી પૂરી પાડે છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે ખાસ ટ્રેન દ્વારા પહોંચેલા શિવભક્તોનું વેરાવળ સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

Himachal Bus Accident- સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં બસ અકસ્માત, નવ લોકોના ઘટનાસ્થળે જ મોત

Mamata Banerjee Protest Rally- કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી શરૂ, EDના દરોડા સામે TMC રસ્તા પર ઉતરી

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments