Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ શાસ્ત્ર ઉપાય - નવા વર્ષમાં કરો આ 10 અચૂક ઉપાય, ધન પ્રાપ્તિ સાથે થશે પ્રોગ્રેસ

વાસ્તુ શાસ્ત્ર  ઉપાય - નવા વર્ષમાં કરો આ 10 અચૂક ઉપાય, ધન પ્રાપ્તિ સાથે થશે પ્રોગ્રેસ
, શુક્રવાર, 1 જાન્યુઆરી 2021 (05:23 IST)
નવુ વર્ષ આવતા જ લોકોની અપેક્ષાઓ વધી જાય  છે. વર્ષ 2021 ને લઈને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે. દરેક વ્યક્તિની ઇચ્છા છે કે નવું વર્ષ તેમના માટે નવી ખુશી અને ભેટો લાવે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે સંપત્તિ, પ્રગતિ અને માન-સન્માન પ્રાપ્ત કરવા માટે વાસ્તુ શાસ્ત્રના કેટલાક અચૂક ઉપાયો. જેને અપનાવીને, તમે તમારા જીવનને વધુ સારું બનાવી શકો છો. જાણો ઉપાય-
 
1. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરોમાં નળ અથવા ટાંકીમાંથી બિનજરૂરી વહેતું પાણી અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં આવું થાય છે ત્યાં બરકત રહેતી નથી. આ સિવાય પૈસા બિનજરૂરી રીતે ખર્ચ થાય છે.
 
2. વાસ્તુ શાસ્ત્ર મુજબ કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ માટે નળનું પાણી હંમેશાં ઉત્તર-પૂર્વ દિશા રહેવો જોઈએ.
 
3. એવું કહેવાય છે કે દરરોજ છોડને પાણી આપવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે અને પરિવારના સભ્યોમાં ભાઈચારો છે.
 
4.વાસ્તુ શાસ્ત્ર મુજબ દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી પાણીની ટાંકી છત પર મૂકવી શુભ માનવામાં આવે છે.
 
5. વાસ્તુ જણાવે છે કે  વ્યક્તિએ હંમેશાં ખુશ અને તંદુરસ્ત  રહેવા માટે માથુ દક્ષિણ  દિશા તરફ અને પગ ઉત્તર દિશા તરફ કરીને સૂવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ દિશામાં સૂવાથી સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ આવે છે.
 
6. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં બેસીને જમવાની વ્યવસ્થા કરવી શુભ મનાય છે. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે
 
7. એવું કહેવામાં આવે છે કે પૂર્વ દિશા તરફ મોઢુ  કરીને ભોજન કરવાથી સંપન્નતા આવે છે. દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને કયારેય પણ ભોજન ન કરવુ જોઈએ. 
 
8. ઘર અથવા ઓફિસમાં પૂજાનુ સ્થાન હંમેશાં ઈશાન ખૂણામાં જ રાખવુ  જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, આમ કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
9. એવું કહેવામાં આવે છે કે પૂજા ઘરમાં શંખ ​​જરૂર મુકવો જોઇએ. આમ કરવાથી ઘરમાં શાંતિ અને ખુશી મળે છે
10. વાસ્તુ શાસ્ત્ર મુજબ મંદિર ક્યારેય દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું . જે ઘરમાં આવું થાય ત્યાં બરકત રહેતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનુ રાશિફળ (30/12/2020) આજે આ 5 લોકોને સુખદ સમાચાર મળશે