Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુના આ 5 નિયમ નહી માનો તો થશે પૈસાની કમી

વાસ્તુના આ 5 નિયમ નહી માનો તો થશે પૈસાની કમી
Webdunia
બુધવાર, 9 ઑક્ટોબર 2019 (12:21 IST)
આજે અમે આપને બતાવી રહ્યા છે વાસ્તુના એવા 5 નિયમો વિશે જેનુ પાલન જો ન કરવામાં આવે તો ઘરમાં હંમેશા પૈસાની કમી રહે છે. 
 
આજના સમયમાં બધા જ લોકો પૈસા માટે ઘણી મહેનત કરી રહ્યા છે પણ જરૂરી નથી કે દરેકની મહેનત સફળ થાય. જો ખૂબ મહેનત કરવા છતા પણ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વાસ્તુ શાસ્ત્રમાં તમારી આ પરેશાની સાથે જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. વાસ્તુના નિયમોનુ પાલન કરવાથી ધન સંબધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે.. 
 
તિજોરી પાસે મુકેલી સાવરણી 
 
ઘરની તિજોરીમાં પૈસા ઘરેણા બીજી કિમંતી વસ્તુઓ મુકવામાં આવે છે.  તેથી ક્યારેય પણ તિજોરી કે કબાટ પાસે સાવરણી ન મુકહ્સો. આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન સમજવામાં આવે છે.  આમ પણ સાવરણીએ રાહુનુ પ્રતીક માનવામાં આવે છે. જે ધનની હાનિ કરાવે છે. 
 
મીઠાવાળુ પાણીનુ પોતુ - ઘરમાં પૈસાની બરકત અને પોઝિટિવ એનર્જી કાયમ રાખવા માટે અઠવાડિયામાં એક દિવસ પાણીમાં મીઠુ નાખીને પોતુ જરૂર કરો.  આવુ કરવાથી ઘરમાં ખુશી અને સકારાત્મક ઉર્જા કરે છે. 
 
ડ્રોઈંગ રૂમમાં મંદિર - ઘરને કંકાસ અને આર્થિક પરેશનીઓથી દૂર રાખવા માટે ડ્રોઈંગ રૂમમાં ક્યારેય પણ મંદિર ન બનાવડાવો.   આવુ કરવાથી ઘરની આર્થિક સ્થિતિને નુકશાન થાય છે. ઘરનુ મંદિર હંમેશા રસોઈ ઘરની પાસે જ બનાવવુ જોઈએ. 
 
મીઠુ -  જો જીવનમાં લાંબા સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં મીઠાનો ડબ્બો મુકી દો.  આવુ કરવાથી ઘરની આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
બાથરૂમના દરવાજા - ઘરમાં બાથરૂમના દરવાજા પણ ક્યારેય ખુલ્લા ન મુકશો. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.  જેની અસર તમારા આરોગ્ય અને ધન બંને પર પડે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

12 માર્ચનુ રાશિફળ- આજે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.

11 માર્ચનુ રાશિફળ- આજનો દિવસ સામાન્ય રહેશે. તમે કોઈપણ કાર્ય પૂર્ણ કરવાની યોજના બનાવી શકો

10 માર્ચનુ રાશિફળ - આજે આ રાશિઓની કિસ્મત ચમકશે.. જાણો શુ કહે છે તમારી રાશિ

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

આગળનો લેખ
Show comments