Webdunia - Bharat's app for daily news and videos

Install App

National pet day- શુ પક્ષીઓમાં હોય છે અદ્દભૂત શક્તિ, પાલતુ પ્રાણી શુકન લઈને આવે છે

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (08:38 IST)
વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓનુ માનવ જીવનમાં વિશેષ મહત્વ બતાવ્યુ છે. એવુ કહેવાય છે કે પશુ પક્ષીઓમાં અનિષ્ટ તત્વોને કાબુમાં રાખવાની અદ્દભૂત શક્તિ હોય છે.  પાલતુ પશુઓ વિશે માનવામાં આવે છે કે તેમની અંદર નકારાત્મક શક્તિઓને નિષ્ક્રિય બનાવવાની તાકત હોય છે. કોઈપણ પશુ પક્ષીને પાળતા પહેલા જ્યોત ઇષ કે વાસ્તુ વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી જોઈએ.  તો આવો જાણીએ કયુ પાલતુ પ્રાણી તમારી માટે શુ શુકન લઈને આવે છે તેના વિશે માહિતી 
 
કોઈપણ અનિષ્ટથી બચવા માટે ગૌદાનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે.  એવી પણ માન્યતા છે કે જે જમીન પર તમે મકાન બાંધવાના હોય ત્યા પંદર દિવસ ગાય અને વાછરડું બાંધી દો.  તેનાથી આ સ્થાન પવિત્ર થઈ જાય છે.  તેનાથી અનેક આસુરી શક્તિઓનો નાશ થાય છે. 
 
ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પ્રસન્નતા માટે ગાય પાળવી ઉત્તમ માનવામાં આવે છે. દરરોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ.  ગાયની સેવા કરવાથી પિતરોને તૃપ્તિ મળે છે. 
 
- જો ઘરમા ક્લેશ થતો હોય તો પક્ષીઓને દાણા ખવડાવવાથી જીવનમાં ખુશીઓ પરત આવે છે. વેપાર કરનારાઓએ રોજ પક્ષીઓને દાણા જરૂર નાખવા જોઈએ.  તેનાથી આર્થિક મામલામાં લાભ થાય છે.
 
- ખિસકોલીને રોટલી ખવડાવવાથી દરેક મુશ્કેલીઓથી સહેલાઈથી મુક્તિ મળી જાય છે.  
 
- ઘરમાં પોપટને પાળવો પણ શુભ માનવામાં આવે છે. પોપટને પાળવાથી બુધ ગ્રહનો કુપ્રભાવ ખતમ થાય છે. 
 
- માછલીઓને પાળવાથી અને તેમને લોટની ગોળીઓ ખવડાવવાથી અનેક દોષ દૂર થઈ જાય છે.  આ માટે સાત પ્રકારના અનાજના લોટના પિંડ બનાવી લો. તમારી વયના વર્ષ જેટલી વાર આ પિંડને શરીર પરથી ઉતારી લો. પછી તમારી વય જેટલી ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો. 
 
- ઘરમાં ફિશ પોટ મુકવુ પણ સુખ સમૃદ્ધિદાયક છે. એવુ કહેવાય છે કે માછલી પોતાના માલિક પર આવાનરી દરેક વિપદાને પોતાની ઉપર લઈ લે છે. 
 
- કૂતરુ પાળવુ પણ વાસ્તુ મુજબ શુભ માનવામાં આવે છે.  માનવનુ સૌથી વફાદાર મિત્ર કૂતરુ પણ નકારાત્મક શક્તિઓને ખતમ કરી શકે છે.   તેમા કાળુ કૂતરુ સૌથી વધુ શુભ હોય છે.  જ્યોતિષ મુજબ જો સંતાનની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો કાળા કૂતરાને પાળવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત કૂતરુ પાળવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. એવુ કહેવાય છે કે પાલતુ કૂતરુ ઘરના રોગી સભ્યની બીમારી પોતાની ઉપર લઈ લે છે. 
 
- વાસ્તુ મુજબ માન્યતા છે કે ગુરૂવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. જો સફળતા મેળવવાની ઈચ્છા છે તો તમારા ઘરમાં ગરૂડની મૂર્તિ કે ફોટો મુકો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.19 ઓગસ્ટ થી 25 મે સુધી

13 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ 4 રાશીને મળશે પિતૃઓનો આશિર્વાદ

12 ઓક્ટોબરનું રાશિફળ - આજે દશેરા પર આ રાશિના જાતકો પર રહેશે રામજીની કૃપા

11 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર માતા સિદ્ધિદાત્રીની રહેશે કૃપા

10 ઓકટોબરનું રાશિફળ - આજે નવરાત્રીના 8 માં દિવસે આ ચાર જાતકો પર રહેશે મહાગૌરીની કૃપા

આગળનો લેખ
Show comments