Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: જો પૂર્વ દિશાની ફ્લોર પર લગાવશો આ રંગનો માર્બલ તો જીવન ખુશીઓથી ભરાઈ જશે

Vastu Tips: જો પૂર્વ દિશાની ફ્લોર પર લગાવશો આ રંગનો માર્બલ તો જીવન ખુશીઓથી ભરાઈ જશે
, સોમવાર, 10 એપ્રિલ 2023 (08:03 IST)
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશું પૂર્વ દિશામાં ફ્લોરના રંગ વિશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ પૂર્વ દિશામાં કરાવવો શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરીને, પૂર્વ દિશાના ફ્લોરના પથ્થરનો રંગ પણ એવો રાખવો જોઈએ કે તે લીલો રંગનો હોય અથવા જેમાં લીલા રંગની આભા દેખાય. આવુ કરવાથી ઘરના લોકોને ઘણો ફાયદો થાય છે અને ખાસ કરીને ઘરના મોટા દીકરાને આનો ફાયદો થશે  
 
પૂર્વ દિશામાં લીલા રંગનો ફ્લોર રાખવાથી કે પછી કોઈપણ ગ્રીન રંગની વસ્તુ મુકવાથી ઘરના મોટા પુત્રને સૌથી વધુ લાભ થાય છે. તેમના જીવનની ગતિ હંમેશા જળવાઈ રહે છે. જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય, તે હંમેશા તેમાંથી સહેલાઈથી બહાર નીકળી જાય છે. 
 
બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં તેમજ પશ્ચિમ દિશામાં ફ્લોર માટે સફેદ રંગના આરસના પથ્થરની પસંદગી કરવી વધુ સારો વિકલ્પ છે. ઘર કે ઓફિસની ઉત્તર-પૂર્વ દિશામાં સફેદ રંગનો માર્બલ રાખવાથી તે દિશા સંબંધિત વાસ્તુ લાભ જ મળવા ઉપરાંત જીવનમાં કોઈ પણ અડચણ આવતી નથી અને ઘરના સભ્યો સફળતાના શિખરે પહોંચતા રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Samudrik Shastra: આ પગનું ફડકવુ હોય છે ખૂબ જ અશુભ, કોઈ મોટી મુસીબત આવવાના આપે છે સંકેત