Biodata Maker

IND vs SA: કપ્તાન રોહિત ઈતિહાસ રચવાથી બસ એક પગલુ દૂર, અર્શદીપ પણ આ મોટા રેકોર્ડથી માત્ર 3 ડગલાં દૂર છે.

Webdunia
શનિવાર, 29 જૂન 2024 (18:34 IST)
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024નો ફાઈનલ મુકાબલો શરૂ થવાની બધા ક્રિકેટ પ્રેમી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈંડિયાએ રોહિત શર્માની કપ્તાનીમાં અત્યાર સુધી આ ટૂર્નામેંટમાં શ્રેષ્ઠ રમત બતાવી છે.  જેમા તેમણે અત્યાર સુધી એક પણ મુકાબલો ન હારતા ફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે.  છેલ્લા એક વર્ષમાં ટીમ ઈંડિયાની ત્રીજી આઈસીસી ટૂર્નામેંટનો ફાઈનલ મુકાબલો રહેશે જેમા રોહિત શર્મા કપ્તાની જવાબદારી સાચવશે.  બીજી બાજુ આ ફાઈનલ મેચમાં તેઓ અનેક મોટા રેકોર્ડ તોડતા જોવા મળશે. પણ ભારતીય કપ્તાન રોઇત શર્મા પાસે એક મોટો ઈતિહાસ રચવાની તક છે. આ ઉપરાંત અર્શદીપ સિંહ પણ એક મોટો કીર્તિમાન પોતાને નામે કરી શકે છે. 
 
રોહિત એક કપ્તાનના રૂપમાં 50 ટી20 જીતવાથી માત્ર એક પગલુ દૂર  
 
રોહિત શર્માએ અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે કેપ્ટન તરીકે 61 મેચ રમી છે, જેમાંથી ટીમે 49 મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતવામાં સફળ રહે છે તો કેપ્ટન તરીકે રોહિતની આ 50મી જીત હશે અને તે T20 ઈન્ટરનેશનલમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી બની જશે. રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો જીતનો રેકોર્ડ 78 ટકા રહ્યો છે. રોહિતે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામેની તેની અડધી સદીની ઇનિંગ સાથે T20 વર્લ્ડ કપની એક આવૃત્તિમાં ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 248 રન બનાવ્યા છે.
 
અર્શદીપ પાસે પણ ઈતિહાસ રચવાની તક છે
આ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતીય ટીમ માટે બોલરોએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં અર્શદીપ સિંહ નવા બોલથી સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યો છે. જો અર્શદીપ સિંહ ફાઈનલ મેચમાં 3 વિકેટ લેવામાં સફળ થાય છે, તો તેની કુલ 18 વિકેટો થઈ જશે અને તે T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. હાલમાં આ રેકોર્ડ અફઘાનિસ્તાન ટીમના ખેલાડી ફઝલક ફારૂકીના નામે છે, જેણે આ T20 વર્લ્ડ કપમાં 17 વિકેટ ઝડપી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments