Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર સીધો ખાતામાં જમા થશે, વચેટિયાની થશે નાબૂદી

Webdunia
મંગળવાર, 9 માર્ચ 2021 (12:11 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનની ચુકવણી DBT મારફતે સીધા જ બેંક ખાતામાં ચુકવવાની પારદર્શી પદ્ધતિનો પ્રારંભ કરાવ્યો હતો. 
 
મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડી તેડાગર બહેનોને હવે પગારના નાણાં સીધા જ બેંક ખાતામાં જમા થવાની ગુજરાતની પહેલને પારદર્શી વ્યવસ્થા, ફેઇસ લેસ સિસ્ટમ અને વચેટિયા નાબૂદીની દિશામાં વધુ એક નક્કર કદમ ગણાવી હતી. 
 
વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજ્ય સરકારે એલ.આઇ.સી.ને ફંડ મેનેજર તરીકેની જવાબદારી સોંપીને MoU કર્યા છે. જે અન્વયે મુખ્યમંત્રીએ રર કરોડ રૂપિયાનો ચેક એલ.આઇ.સી.ને અર્પણ કર્યો હતો.
મહાનુભાવોએ આ પ્રસંગે મહિલા સ્વાવલંબન યોજનાના ચેક વિતરણ તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરીના પ્રથમ ધોરણમાં એડમિશન વખતે 4 હજાર રૂપિયા, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6 હજાર રૂપિયા તેમજ જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે લગ્ન સહાય રૂપે દીકરીને 1 લાખની સહાય આપવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

વધુ જુઓ..

નવીનતમ

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

આગળનો લેખ
Show comments