Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું: સુરતીઓ આટલા વાગ્યા સુધી જ ફોડી શકશે ફટાકડા

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું: સુરતીઓ આટલા વાગ્યા સુધી જ ફોડી શકશે ફટાકડા
Webdunia
સોમવાર, 9 નવેમ્બર 2020 (12:28 IST)
સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે ફટાકડાના ખરીદ, વેચાણ તથા વપરાશ કરવા પર અમુક પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 
 
જાહેરનામા અનુસાર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સીરિઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી કે ફોડી શકાશે નહી તેમજ વેચાણ કરી શકાશે નહી. હાનીકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર  PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને અન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા વેચી/વાપરી શકાશે. 
 
અધિકૃત ફટાકડાના દરેક બોક્ષ ઉપર PESO ની સુચના પ્રમાણેનુ; માર્કિંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારે સાયલેન્ટ  ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યા કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત/રાખી/વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ ફિલપ કાર્ટ, એમેઝોન સહીતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી. 
 
લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સુરત શહેરના બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ/સી.એન.જી. બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈથમકની નજીક કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈ પણ પ્રકાના સ્કાય લેન્ટનનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈ પણ સ્થળે ઉડાડી શકાશે નહી. આ જાહેરનામું તા.૮/૧૧/૨૦૨૦ થી તા.૨૨/૧૧/૨૦૨૦ સુધી માન્ય રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments