Webdunia - Bharat's app for daily news and videos

Install App

1100ના લક્ષ્ય સામે ગુજરાતમાં માત્ર આટલા જ PUC સેન્ટરો ખુલ્યા

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (12:03 IST)
નવો મોટર વાહન કાયદો અમલમાં આવ્યા બાદ અને ઊંચા દંડની જોગવાઈના કારણે સપ્ટેમ્બર માસમાં હજારો વાહનચાલકોને કામધંધા પડતા મકીને પીયુસી કઢાવવા લાંબી લચ્ચક કતારોમાં ઊભા રહેવું પડયું હતું. રાજ્યમાં ૨.૫૩ કરોડ વાહનો સામે ૯૬૭ પીયુસી સેન્ટરો છે તે કેવી રીતે ચાલે ? ૧,૧૦૦ નવા પીયુસી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી તેનું સુરસુરિયું થયું છે. ૧,૧૦૦ની સામે માત્ર ૧૬૦ સેન્ટરને મંજૂરી મળી છે. આગામી ૩૧મી ઓક્ટોબર સુધીમાં બાકીના પીયુસી સેન્ટરો ઊભા નહીં થાય તો લોકોને ફરીથી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવશે તે નક્કી વાત છે.અમદાવાદમાં ૪૩ લાખ વાહનોમાંથી ૩૫ લાખ વાહનો પાસે પીયુસી નથી. આ વાહનોને પીયુસી આપવા માટે માત્ર ૧૦૮ સેન્ટરો છે. આ સેન્ટરો ૧૨ કલાક ચાલે તો ૬૧ દિવસની જરૂર પડે. જો ૨૪ કલાક સેન્ટરો ચાલે તો ૩૧ દિવસ થાય. તેની સામે સરકારે ૧૩મી સપ્ટેમ્બરે ફક્ત ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદત આપી હતી. પરંતુ ઢંગધડા વગરના આયોજનના કારણે ફરી મુદત લંબાવવાની જાહેરાત કરવી પડી હતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ ૧,૧૦૦ પીયુસી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. તેની સામે માત્ર ૨૧૩ અરજી વિભાગને મળી હતી. તેમાંથી ૧૬૦ને મંજૂરી મળી છે. ૧૬૦ પૈકી અમદાવાદ શહેરના ૧૦ સેન્ટરનો સમાવેશ થાય છે. શહેરમાં હાલ ૧૦૮ સેન્ટરો છે. સરકારે ડીજી લોકર અને વાહન પરિવહન સોફ્ટવેર મારફતે પીયુસી સર્ટિફિકેટ મળે તે માટે પીયુસી સેન્ટરોને જોડવાનું શરૂ કર્યું છે. જેથી લોકો સરળતાપૂર્વક પીયુસી સર્ટિ મેળવી શકે. પરંતુ વાહન સોફ્ટવેર સાથે ૯૭૬ પૈકી માત્ર ૩૫૦ સેન્ટરો જ વાહન સોફ્ટવેર સાથે લિન્ક હતા. હવે જો કે તેની સંખ્યા વધીને ૭૦૦ થઈ છે.
 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments