Festival Posters

1100ના લક્ષ્ય સામે ગુજરાતમાં માત્ર આટલા જ PUC સેન્ટરો ખુલ્યા

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (12:03 IST)
નવો મોટર વાહન કાયદો અમલમાં આવ્યા બાદ અને ઊંચા દંડની જોગવાઈના કારણે સપ્ટેમ્બર માસમાં હજારો વાહનચાલકોને કામધંધા પડતા મકીને પીયુસી કઢાવવા લાંબી લચ્ચક કતારોમાં ઊભા રહેવું પડયું હતું. રાજ્યમાં ૨.૫૩ કરોડ વાહનો સામે ૯૬૭ પીયુસી સેન્ટરો છે તે કેવી રીતે ચાલે ? ૧,૧૦૦ નવા પીયુસી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી તેનું સુરસુરિયું થયું છે. ૧,૧૦૦ની સામે માત્ર ૧૬૦ સેન્ટરને મંજૂરી મળી છે. આગામી ૩૧મી ઓક્ટોબર સુધીમાં બાકીના પીયુસી સેન્ટરો ઊભા નહીં થાય તો લોકોને ફરીથી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવશે તે નક્કી વાત છે.અમદાવાદમાં ૪૩ લાખ વાહનોમાંથી ૩૫ લાખ વાહનો પાસે પીયુસી નથી. આ વાહનોને પીયુસી આપવા માટે માત્ર ૧૦૮ સેન્ટરો છે. આ સેન્ટરો ૧૨ કલાક ચાલે તો ૬૧ દિવસની જરૂર પડે. જો ૨૪ કલાક સેન્ટરો ચાલે તો ૩૧ દિવસ થાય. તેની સામે સરકારે ૧૩મી સપ્ટેમ્બરે ફક્ત ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદત આપી હતી. પરંતુ ઢંગધડા વગરના આયોજનના કારણે ફરી મુદત લંબાવવાની જાહેરાત કરવી પડી હતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ ૧,૧૦૦ પીયુસી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. તેની સામે માત્ર ૨૧૩ અરજી વિભાગને મળી હતી. તેમાંથી ૧૬૦ને મંજૂરી મળી છે. ૧૬૦ પૈકી અમદાવાદ શહેરના ૧૦ સેન્ટરનો સમાવેશ થાય છે. શહેરમાં હાલ ૧૦૮ સેન્ટરો છે. સરકારે ડીજી લોકર અને વાહન પરિવહન સોફ્ટવેર મારફતે પીયુસી સર્ટિફિકેટ મળે તે માટે પીયુસી સેન્ટરોને જોડવાનું શરૂ કર્યું છે. જેથી લોકો સરળતાપૂર્વક પીયુસી સર્ટિ મેળવી શકે. પરંતુ વાહન સોફ્ટવેર સાથે ૯૭૬ પૈકી માત્ર ૩૫૦ સેન્ટરો જ વાહન સોફ્ટવેર સાથે લિન્ક હતા. હવે જો કે તેની સંખ્યા વધીને ૭૦૦ થઈ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments