Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારથી પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

Webdunia
શનિવાર, 8 ઑક્ટોબર 2022 (15:19 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી મોઢેરા ખાતે સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત બેચરાજીના દેલવાડા ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીના ત્રણ દિવસના કાર્યક્રમની વિગત જાણીએ. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક સ્થળોએ જાહેર સભા પણ સંબોધશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.


મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
 
9 ઓક્ટોબર 2022
રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
અમદાવાદ એરપોર્ટથી જ મોઢેરા જવા રવાના થશે.
સાંજે 5 કલાકે બેચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધન કરશે
સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. માતાની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે.
સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે.
રાત્રે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે.
અમદાવાદ એરપોર્ટથી રાજભવન પહોંચશે પીએમ.
રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
 
10 ઓક્ટોબર, 2022
સવારે 9 કલાકે સચિવાલય હેલીપેડથી આમોદ જવા રવાના થશે.
10 કલાકે આમોદ પાસે જનસભાને સંબોધન કરશે.
આમોદથી આણંદ પહોંચશે.
બપોરે 12 કલાકે શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
આણંદથી પીએમ મોદી અડાલજ પહોંચશે.
અડાલજમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે.
બાદમાં અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે.
સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.
 
11 ઓક્ટોબર, 2022
સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે.
જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે.
બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ.
બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે.
સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments