Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે વડાપ્રધાન ગુજરાતમાં; ડ્રોનથી આતંકી હુમલાની શંકા; સુરક્ષાને લીધે 4 દિવસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

modi to sarapanch
Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (08:26 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરેશિયસ અને યુકેના વડાપ્રધાન 18 થી 21 એપ્રિલ સુધી અમદાવાદ આવવાના છે. જો કે આવા મહાનુભાવો ઉપર હુમલો કરવા માટે આતંકવાદી સંગઠનો માનવ રહિત રિમોટ સંચાલિત ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે. જેની ગંભીરતાથી નોંધ લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 18 એપ્રિલના બપોરના 2 વાગ્યાથી 21 એપ્રિલના રાતના 12 વાગ્યા સુધી અમદાવાદ શહેરને નો ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યો છે. જેથી આ સમય ગાળા દરમિયાન અમદાવાદમાં રિમોટથી ઓપરેટ થતા કોઇ પણ પ્રકારના ડ્રોન ઉડાવી શકાશે નહીં.

આતંકવાદી સંગઠનો અને ભાંગ ફોડિયા તત્વો બોંબ ધડાકા તેમજ હુમલા કરવા માટે ડ્રોન અને ડ્રોન જેવા રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતા ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી આ પ્રકારના ઉપકરણોનો મંજૂરી વગર ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ અમદાવાદમાં 4 દિવસ માટે આવી રહેલા મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ 4 દિવસ માટે રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, કવાડ ક્રોપ્ટર, પાવર્ડ એરક્રાફટ, માઈક્રો લાઈટ એરક્રાફટ, હેંગ ગ્લાઈડર - પેરાગ્લાઈડર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments