Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં જમીન મુદ્દે દલિત પરિવારના 8થી વધુનો આત્મવિલોપનનો પ્રયાસ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (10:28 IST)
રાજકોટમાં નવા રેસકોર્સ પાસે જમીન મુદ્દે દલિત પરિવારના 8 જેટલા લોકોએ શરીરે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો,  પોલીસે તેમને રોકી અટકાયત કરી લીધી હતી. હાલ તમામની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઇ જવામા આવ્યાં છે. દલિત પરિવારની જમીન સરકારે અન્ય કોઇને આપી દેવાનો આક્ષેપ દલિત પરિવારે કર્યો હતો અને સરકાર દલિતોને જીવવા નહીં દે તેવા આક્ષેપો કર્યા હતા. જો પોલીસ અહીં હાજર ન હોત તો મોટી ઘટના સર્જાઇ જાત. જો કે કેરોસીન છાંટ્યા બાદ કાંડી ચાપે તે પહેલા જ તમામની અટકાયત કરી લેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

બસપાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સામાજીક કાર્યકર મહેશ પરમારે સોશિયલ મીડિયામાં શેર કરી કહ્યું હતું કે, પૂર્વજોના વંશની 1966-67ના કબ્જાવાળી જમીન રૈયા સર્વે નં. 318 ખેતીની હોવા છતાં અમને આપી નથી. હાલ કલેક્ટર પાસે અનેક વખત માગણી કરી છે. કોર્ટમાં પણ કેસ પેડિંગ છે, છતાં આ જમની સ્વામિનારાયણ સંપ્રદાયને આપી દીધાનો આક્ષેપ કર્યો હતો અને જમીન પર બળજબરીપૂર્વક કબ્જો કરી લીધો હતો. આ જમીન નહીં છોડે તો પરિવારના 20 જેટલા સભ્યો સામૂહિક આત્મવિલોપન કરશે તેવું જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે 8થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા અને શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલા જ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments