Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદા ડેમ 90 ટકા ભરાયો, ઓવરફ્લોથી માત્ર 3 મીટર દૂર, નદી કાંઠાના ગામોને એલર્ટ

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (12:12 IST)
narmada dam


ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાતા વિવિધ ગામોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. જેમાં સીઝનમાં પ્રથમ વાર સપાટી 135.65 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 2,13,900 ક્યૂસેક પાણીની આવક થઇ છે. તેમજ 3828.60 મિલિયન ક્યૂબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે.ઉપરવાસમાંથી 2,13,900 ક્યૂસેક પાણીની આવક થઇ છે.

તેમજ 3828.60 મિલિયન ક્યૂબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. જેમાં નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. ત્યારે ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા કરાયા છે. ડેમમાંથી કુલ 1,52,294 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા વધારો થયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,861 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તેમજ કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,433 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 9 ગેટ દ્વારા 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમ માંથી કુલ 1,52,294 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર છે.નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદિરેયા ગામ અને શિનોરના અંબાલી, બરકાલ, દિવેર ગામ તથા શિનોરના માલસર, દરિયાપુરા, મોલેથા ગામને એલર્ટ કરાયા છે. શિનોરના ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશઆળ ગામ તથા કરજણના પુરા, આલમપુરા, કરજણના રાજલી, લીલાઈપુરા, નાનીકોરલ ગામ એલર્ટ પર છે. તેમજ કરજણના મોટી કરોલ, જુના સાયર, સાગરોલ તથા ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામ પણ એલર્ટ પર છે .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments