rashifal-2026

મા વાત્સલ્ય કાર્ડ હવે સરકારી હોસ્પિટલોમાં બનાવી આપવામાં આવશે

આવકના દાખલા કઢાવવામાં થતી મુશ્કેલીને કારણે માં કાર્ડની મુદ્દત 31 જુલાઈ સુધી લંબાવાઈ

Webdunia
બુધવાર, 9 જૂન 2021 (00:25 IST)
મા વાત્સલ્ય કાર્ડ ઘરાવતા લાભાર્થીઓ યોજના  હએથળ જોડાયેલી, માન્યતા મેળવેલી કોઈપણ સરકારી, ટ્રસ્ટ સંચાલિત, ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે શકે છે. 
 
- ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં મા અમૃતમ અને મા અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવાદીઠ એક કાર્ડ આપવામાં આવતુ હતુ તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. દા.ત એક પરિવારમાં 5 વ્યક્તિ હઓય તો આ પહેલા 5 વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતુ. હવે પરિવારના પાંચ જણને જુદા જુદા વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. જેથી તેના ઉપયોગમાં સરળતા રહેશે. 
 
હાલમાં રાજ્યની સરકારી હોસ્પિતલ, CHC, PHCમાં નવા કાર્ડ કાઢવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. તેથી બધા લાભાર્થી નવા કાર્ડ આ હોસ્પિટલમાં કઢાવી શકશે. જયા સુધી નવુ કાર્ડ કાઢવામાં ન આવ્યા ત્યા સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઈની સારવાર અટકશે નહી. 
 
નીતિન પટેલ - હુ આશા રાખુ છે કે મા યોજનના દરેક લાભાર્થી આ માર્ગદર્શન પ્રમાણે કાર્યવાહી રશે અને લાભાર્થી નવુ કાર્ડ તાત્કાલિક મેળવી લેશે.  જેથી જરૂરિયાત મુજબ રૂ 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકે. 

કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે માં કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જોતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે માં કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત 31 માર્ચ ના રોજ પુરી થઇ છે.

Vaishno Devi Fire News: વેષ્ણોદેવી મંદિર પરિસરમાં લાગી આગ, દૂર દૂર સુધી આગના ગોટેગોટા

તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, 30 જૂન સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 મી જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપતી મા યોજનાની કામગીરીમાંથી ખાનગી કંપનીને દૂર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

ગુજરાતમાં બદલાતી રાજનીતિ, કોંગ્રેસનો કોઈ ભાવ પૂછતું નથી, પાટીલના ગઢમાંથી ભાજપના 300 કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા


કાર્ડ ઇશ્યુ કરવાથી લઇને રિન્યુ કરવાની કામગીરી માટે એન-કોડ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો જેનો સમયગાળો પૂર્ણ થઇ જતાં ગત સપ્તાહથી આ કંપનીના 319 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. મા કાર્ડને લગતી કામગીરી સરકાર જાતે જ કરશે. જેથી 1500 જેટલા પીએચસી, સીએચસી અને તમામ જનરલ હોસ્પિટલોમાં હવેથી મા કાર્ડ ઇશ્યુ કરવાની, રિન્યુ કરવા સહિતની તમામ કામગીરી થશે. રાજ્યમાં હાલ મા યોજનાના 75 લાખ જેટલા લાભાર્થી છે. મા યોજનાને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. મા કાર્ડ ધરાવતા અનેક લાભાર્થીઓને 31 મેના રોજ કાર્ડની મુદ્દત પૂરી થઇ ગઇ હોવાના મેસેજ મળ્યા છે. સૂત્રો મુજબ કોરોનાની સ્થિતિમાં લાભાર્થીઓને તાત્કાલિક કાર્ડ રિન્યુ કરવા જવું ન પડે અને આકસ્મિક બીમારીના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 31 મેના રોજ મુદત પૂરી થઇ છે તેવા તમામ કાર્ડ 30 જૂન સુધી માન્ય રાખવાનો નિર્ણય કરાયો હતો. હવે તેમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.


મા વાત્સલ્ય કાર્ડ હવે સરકારી હોસ્પિટલોમાં બનાવી આપવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

Breakfast Ideas Tips- નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્દી ઓટ્સ-સોજી ઇડલી બનાવો.

શિવાજી ના ઘોડા નું નામ

વધુ જુઓ..

નવીનતમ

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

આગળનો લેખ
Show comments