Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ અપાયું

Webdunia
શનિવાર, 21 ડિસેમ્બર 2019 (14:51 IST)
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા એનઆરસી અને સીએએના પગલે કચ્છમાં વસતા શરણાર્થીઓમાં દિવાળી જેવો માહોલ છે. શુક્રવારે કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયા, સાંસદ વિનોદ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય અને હાલ કચ્છમાં નખત્રાણા મધ્યે રહેતા રામસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અમારી વર્ષો જૂની પીડાનો, વેદનાનો અંત આવ્યો છે.

આ પ્રસંગે મનસુખભાઇએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદના બંને સદનમાં આ બિલને પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે સીએએ (નાગરિકતા સંશોધન કાયદો) આખાએ દેશમાં લાગુ થઇ રહ્યો છે, આ નિર્ણય વર્ષોથી ભારતમાં રહેતા શરણાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅને ગૃહ પ્રધાન અમિતભાઈએ દેશમાં વર્ષોથી શરણાર્થીઓ તરીકે રહેતા પરિવારોને આત્મસન્માન આપ્યું છે. ૨૦૧૪ પહેલા ભારતમાં આશ્રય લેનાર શરણાર્થીઓને જ ભારતીય નાગરિકતા અપાશે એ બાબતે લોકોમાં ખોટી ગેરસમજ ફેલાઇ રહી છે. સરકાર કોઈ પણ જાતિ કે સમુદાય વિરુદ્ધ નથી. એટલે સમાજનું હાર્દ જળવાઈ રહે તે જોવાની સૌની ફરજ છે

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments