Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી અક્ષરધામ મંદિરના દ્વાર થશે બંધ, જાણો ક્યારે ખુલશે દ્વાર

Webdunia
શુક્રવાર, 20 નવેમ્બર 2020 (16:26 IST)
અમદાવાદમાં આજથી 57 કલાકનો ફરફ્યૂ લગાવવામાં આવ્યો છે. શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને જોતાં ગાંધીનગરના અક્ષરધામ મંદિરને 20 થી 23 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદની માફક અક્ષરધામ મંદિરને પણ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ધામિક સ્થળો પર ભક્તોની ભીડ એકઠી ન થાય એટલા માટે સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 
 
અમદાવાદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનિંગ નથી. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, આ વિકેન્ડ કર્ફ્યુ છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાતને અફવા ગણાવી હતી. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ માત્ર તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યું છે.
 
શનિવાર અને રવિવારે રજાના દિવસ હોવાથી અક્ષરધામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટતી હોય છે. સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને 20 નવેમ્બર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments