Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

57 કલાકના કરફ્યુની જાહેરાત થતા જ લોકોને લોકડાઉનો લાગ્યો ભય, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની ભીડ

57 કલાકના કરફ્યુની જાહેરાત થતા જ લોકોને લોકડાઉનો લાગ્યો ભય, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની ભીડ
, શુક્રવાર, 20 નવેમ્બર 2020 (10:41 IST)
અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂંની જાહેરાત કરવામાં આવી છે. આ 60 કલાક દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ તથા દવાઓ જ મળશે. વરિષ્ઠ અધિકારી રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરી છે.  ડો. રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરતાં કહ્યું કે કોરોના સંક્રમણને કાબૂમાં કારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. 
webdunia
લોકડાઉનની જાહેરાત બાદ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ શાકભાજી અને કરિયાણી દુકાનો પર ભીડ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટસિંગના લીરેલીરા ઉડી રહ્યા છે. શાકભાજી ખરીદી કરનાર અને શાકભાજીના વેપારીઓ પણ માસ્ક પહેર્યા વિનાના જોવા મળ્યા હતા. સ્ટોક પુરો થઇ જાય તે પહેલાં લોકો જથ્થાબંધ શાકભાજી ખરીદી રહ્યા છે. 
webdunia
તો બીજી તરફ કરફ્યુ દરમિયાન ટ્રાંસપોર્ટ સેવા બંધ રહેશે. જ્યારે ટ્રેનો નિયમ ટાઇમ ટેબલ અનુસાર દોડશે. વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ આવન-જાવન કરશે. કરફ્યુ કારણે ટ્રાંસપોર્ટ બંધ હોવાના કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જવું પડશે. 
webdunia
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી ના તહેવારના પગલે બજારમાં મોટી સંખ્યામાં ઊમટી પડેલા લોકોના કારણે કોરોનાના કેસ વધ્યા હોવાનું લોકોનું તારણ છે. જરૂર જણાશે તો સરકાર હજુ કડક પગલાં ભરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pratapgarh Accident: પ્રતાપગઢમાં મોટી દુર્ઘટના, ઉભી ટ્રકમાં જઈ ઘુસી બોલેરો, 14 જાનૈયાઓનુ મોત