Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસરગ્રસ્તોની માગો પૂરી નહીં થાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં કરવા દેવાની ચીમકી

અસરગ્રસ્તોની માગો પૂરી નહીં થાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં કરવા દેવાની ચીમકી
Webdunia
મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (14:44 IST)
નર્મદા અસરગ્રસ્તોની માગો હજી સુધી પૂરી નહીં થતા ડભોઈ તાલુકા, વાઘોડીયા તાલુકા અને સંખેડા તાલુકાના 300 ઉપરાંત અસરગ્રસ્તો દ્વારા આગામી ગાંધીનગર રજૂઆત મુદ્દે સીમડીયા વસાહતમા મિટીંગ બોલાવાઈ હતી. જેમની બે માગણીઓ નહી પૂરી કરવામા આવે તો આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે.
ઘણા સમયથી નર્મદા અસરગ્રસ્તોના આગેવાનો વિવિધ વસાહતોમા મિટીંગો બોલાવી પોતાના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરતા રહ્યા છે. તેઓ દ્વારા તા. 30-07-2018ના રોજ જિલ્લા કલેક્ટર તેમજ વડોદરા સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીની કચેરીએ આવેદનપત્ર આપી તેમની બે માગણીઓ જેમા અસરગ્રસ્ત પરિવારના એક વ્યક્તિને નોકરી અને જમીનની માગણીઓ કરેલ હતી.
અસરગ્રસ્તો દ્વારા તા. 15 જૂન 2016થી કેવડીયા ડેમ ખાતે પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા. એક વર્ષ પછી ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ તેમની માગણીઓ સ્વીકારાઈ ગઈ હોવાના ખોટા વાયદા કર્યા.
જેથી નર્મદા અસરગ્રસ્તોમા ભારે રોષની લાગણી પ્રવર્તી હતી. જેને લઈ આગામી સમયમા ગાંધીનગર ખાતે પ્રતીક ઉપવાસ અને આંદોલનને ઉગ્ર બનાવવા માટે ઠેર ઠેર વસાહતોમા મિટીંગ યોજાઇ છે. જેમાં ડભોઇના સીમળીયા વસાહત અને ઢાલનગર વસાહતમાં ડભોઇ તાલુકા,વાઘોડીયા તાલુકા અને સંખેડા તાલુકાના અસરગ્રસ્તો ની મિટીંગ યોજાઇ હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments