Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો ડર હોવા છતાં 2020માં 1.94 કરોડ લોકો ગુજરાત ફરવા આવ્યા

Webdunia
રવિવાર, 25 જુલાઈ 2021 (08:56 IST)
બીજી લહેરના અંત બાદ હવે ધીરે ધીરે પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો ખુલી રહ્યા છે. જેના કારણે પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. જોકે, કેટલાક રાજ્યો અને વિસ્તારોમાં કોવિડ ગાઇડલાઇનના કારણે કોરોના અગાઉની પ્રવાસીઓની સંખ્યાએ પહોંચતા હજૂ સમય લાગશે. ગુજરાતમાં વર્ષ 2019માં 5.88 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા જેની સામે 2020માં 1.94 કરોડ જ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. કોરોનાના કારણે એક જ વર્ષમાં 3.94 કરોડ પ્રવાસીઓનો ઘટાડો નોંધાયો હતો.કોરોનાની પહેલી લહેર બાદ કેટલાક સમય માટે પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા હતા પણ મર્યાદિત સંખ્યા નક્કી કરાયેલી હતી. ફરી બીજી લહેરમાં પ્રવાસન સ્થળો બંધ થયા હતા. સોમવારે સંસદના મોનસૂન સત્રમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી હતી. આ વિગતો માત્ર સ્થાનિક પ્રવાસીઓને અનુલક્ષી હતી.રાજ્યમાં પણ પ્રવાસન સ્થળો પર કોરોનાની સીધી અસર વર્તાઇ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સાસણ ગીર, સફેદ રણ જેવા સ્થળોએ સરેરાશ કરતાં 65થી 70% ઘટાડો નોંધાયો હતો. હાલમાં મર્યાદિત સંખ્યા અને ગાઇડલાઇન સાથે મોટાભાગના પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્રીજી લહેરનું કારણ પ્રવાસન સ્થળો ના બની જાય એ પણ ચિંતાનું કારણ છે.નવેમ્બર 2018થી ફેબ્રુઆરી 2020 સુધી 42.58 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. 17 માર્ચ, 2020ના રોજ આ આંકડો રાજ્યસભામાં આપવામાં આવ્યો હતો. મહિને 2.66 લાખ પ્રવાસીઓ આવતા હતા. 2021ના માર્ચમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર કરી ગયો. 1 વર્ષમાં કપરી સ્થિતિઓ વચ્ચે 7.40 લાખ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments