Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના કંટ્રોલમાં, બીજી લહેર ઝડપથી વિદાય તરફ, આજે નવા કેસ 778 નોંધાયા, 11 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના
Webdunia
સોમવાર, 7 જૂન 2021 (22:25 IST)
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. 13 માર્ચ બાદ 87 દિવસ એટલે કે 3 મહિના 775 આસપાસ નવા કેસ નોંધાયા છે અને પહેલીવાર 24 કલાકમાં 778 નવા કેસ નોંધાયા છે. જ્યારે 59 દિવસ બાદ 2 હજાર 613 દર્દી સાજા થયા છે. અગાઉ 10 એપ્રિલે 2 હજાર 525 દર્દી સાજા થયા હતા. દૈનિક મૃત્યુઆંક 11 થયો છે. આ અગાઉ 67 દિવસ પહેલા એટલે કે 2 એપ્રિલે 11 દર્દીના મોત થયા હતા.

20 દિવસ અગાઉ 11 મેના રોજ અમદાવાદમાં જ આટલા મોત નોંધાયા હતા.આમ રાજ્યમાં સતત 34મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.80 ટકા થયો છે. રાજ્યમાં હવે અમદાવાદ અને વડોદરા શહેરમાં જ ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 90 હજાર 906 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16 હજાર 162 એક્ટિવ કેસ છે, જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે હજાર 15 હજાર 799 દર્દીની હાલત સ્થિર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments