Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના પર કાબૂ મેળવવામાં ગુજરાતે મેળવી સફળતા: 24 કલાકમાં નોંધાયા માત્ર 996 નવા કેસ, 15ના મોત

કોરોના પર કાબૂ મેળવવામાં ગુજરાતે મેળવી સફળતા: 24 કલાકમાં નોંધાયા માત્ર 996 નવા કેસ, 15ના મોત
, શનિવાર, 5 જૂન 2021 (20:24 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારથી નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
webdunia
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 996 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 3,004 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,85,378 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 96.32 ટકાએ પહોંચ્યો હતો. 
webdunia
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 20,078 એક્ટિવ દર્દી છે, જે પૈકી 382 લોકો વેન્ટિલેટર પર છે અને 19,705 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,85,378 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,921 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
 
આ ઉપરાંત વડોદરામાં 1, સુરતમાં 2, અમરેલીમાં 1, રાજકોટમાં 1, અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 15 દર્દીઓના મોત થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓનલાઈન ફોન મગાવતા બોક્સમાંથી સાબુ નીકળ્યો