Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેલાડ ગામમાં મહાત્મા ગાંધીજીના ભાષણના અંશ: આપણે આ રાક્ષસી સલ્તનત સામે બાથ ભીડી છે, આ તો મીઠાનો મીઠો સંગ્રામ છે

Webdunia
મંગળવાર, 30 માર્ચ 2021 (08:40 IST)
દેલાડ ગામમાં ગાંધીજીએ રાત્રીરોકાણ કર્યાની સાથે જ અહી સભા પણ યોજી હતી. સભાને સંબોધતા ગાંધીજીએ કહ્યું હતું કે, ‘હું ચોવીસ કલાક વિચાર કરતો રહું છું. છતાં મને લાગે છે કે, હું પ્રમાણમાં ઘણું ખાઉં છું. દેશમાં અસંખ્ય માણસોને માત્ર રોટલો ને ખરાબ મીઠું મળે છે. 
છતાં મોહવશ થઇ હું દૂધ ખાતો-પીતો સેવા કરી રહ્યો છું. આ પાપી પેટને દૂધ આપવું પડે છે. ચાલતાં-ચાલતાં, ડગલે ને પગલે મને દરિદ્રનારાયણનાં જ વિચાર આવ્યા કરે છે અને તેથી આજે ટમટમતાં ફાનસો જોઈ મને જાણે હર્ષના ઊભરા આવે છે. આપણે આ રાક્ષસી સલ્તનત સામે બાથ ભીડી છે, આ તો મીઠાનો મીઠો સંગ્રામ છે. 
 
તકલી ચલાવો, રેંટિયો ચલાવો, તમારે હૈયે જો ભગવાન વસે, હિંદના ગરીબોની દયા વસે, તો રેંટિયો ચલાવજો. લોકમાન્યે કહ્યું કે, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. એ હક આપણે કેમ ન માનીએ? પ્રાણ જાય પણ એ ન છોડીએ,ઈશ્વર આપણને એવી સદ્દબુદ્ધિ આપે.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments