Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાસના કન્વિનર દિનેશ બાંભણિયાએ રૂ.73.25 કરોડની વેટ ચોરી કરી

પાસના કન્વિનર દિનેશ બાંભણિયાએ રૂ.73.25 કરોડની વેટ ચોરી કરી
Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2019 (11:56 IST)
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન તથા સમિતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર બાંભણિયા હવે વેટના ચક્કરમાં ભરાઈ ગયાં છે. તેમણે છેલ્લા ચાર  વર્ષ દરમિયાન કરેલા વેપારનો ભરવાનો થતો રૂ.73.25 કરોડનો વેટ નહીં ભરતા વેટ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી હતી. વેટ વિભાગની કચેરીના અધિકારી એન.સી.ફુલતરિયાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જસદણના કમળાપુરમાં રહેતા દિનેશ ભગવાનજી બાંભણિયા સામે ફરિયાદ નોંધાવી હતી. વેટ અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિનેશ બાંભણિયાએ રાજકોટના ન્યૂ જાગનાથ મેઇન રોડ પર આવેલી ક્રેડિટ કોર્નરમાં શ્રીનાથજી કોટલીક પ્રા.લી. નામની કંપની શરૂ કરી હતી અને રૂની ગાંસડીઓનું ખરીદ વેચાણ કરતા હતા. આરોપી દિનેશ બાંભણિયા ઉપરોક્ત કંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. શ્રીનાથજી કોટલીક કંપનીએ વર્ષ 2010 થી 2014 દરમિયાન કરેલા વેપારના રૂ.73,25,10,310નો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવવાનો હતો. વેટ વિભાગ દ્વારા કંપનીના ડિરેક્ટર દિનેશ બાંભણિયાને નોટિસ ફટકારી કંપનીના હિસાબો રજૂ કરવા તાકીદ કરી હતી, પરંતુ દિનેશે એકપણ નોટિસનો જવાબ આપ્યો ન હતો અને હિસાબો સાથે રજૂ પણ થયો નહોતો. ત્રણેક વર્ષથી દિનેશે પોતાની કંપની બંધ કરી દીધી હતી. વેટ વિભાગે બાંભણિયાની અઢી વીઘા જમીન ટાંચમાં લીધી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments