Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારના વાયદાઓ પુરા નહીં થતાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો - ઉનાકાંડ પીડિત

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (11:53 IST)
ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારને દોઢેક વર્ષ પૂર્વે ગૌ-રક્ષકોએ બેરહેમીથી માર માર્યો હતો. જેના વીડિયો વાયરલ થતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો. જે-તે સમયે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને સકંજામાં લેવાયા હતા. જો કે હાલ આરોપીઓ જામીન મુક્ત છે. જેને લઈને ઉનાના પીડિત પરિવાર સહિત 300 લોકોએ આજે બુદ્ધ પૂર્ણિમાંના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. સરકારે આપેલા વચનો પૂરા ન થતા બાબા સાહેબની જેમ હિન્દુધર્મને છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાનું પીડિત પરિવારના બાલુભાઇ સરવૈયા અને રમેશભાઇએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, સરકારે અમને કોઈ ન્યાય આપ્યો નથી. આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે. હવે હિન્દુ ધર્મમાં રહેવાનો કોઇ ફાયદો નથી. જેથી અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આજરોજ સમઢીયાળા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં અમારી સાથે 300 થી વધુ દલિત લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. આ માટે જરૂરી સરકારી કાર્યવાહી અગાઉ જ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ અમે ગામ લોકો સાથે હળીમળીને જ રહ્યા છીએ અને આગળ પણ રહીશું.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments