rashifal-2026

ભાજપના બે ધારાસભ્યો દહેજમાં બેકારીના પ્રશ્ને ધરણા પર બેઠા

Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:45 IST)
દહેજ ખાતે આવેલી જી.એફ.એલ. કંપનીમાં સ્થાનિક કર્મચારીઓને થતી હેરાનગતિ અને બેરોજગારીના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો મેદાને પડ્યા છે. આજે વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કંપનીની તાળાબંધી કરી હતી. અને કંપનીના ગેટ પર જ ધરણા પર બેસી ગયા હતા. અને કંપની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં સ્થાનિકોની બેરોજગારીનો મામલો વકર્યો છે. તેવા સમયે જી.એફ.એલ. કંપની સામે ભાજપના બે ધારાસભ્યોએ કામદારોની સમસ્યાઓના નિરાકરણ માટે ધરણા પર બેસતા મામલો ગરમ થઇ ગયો છે. દહેજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લેન્ડ લૂઝર્સ અને યુવાનોની રોજગારીનો મામલો રોજબરોજ પેચીદો બનતો જાય છે. યુવાનો અને જમીન ગુમાવનાર ખેડૂતો કંપનીઓના ગેટ પર ભિખારીની જેમ નોકરીની ભીખ માંગવા જાય છે. પણ તેઓને કોઈ નોકરી આપવા તૈયાર નથી.પોતાના જ વિસ્તારમાં કંપનીઓના વિકાસ માટે જમીન આપ્યા બાદ પણ સ્થાનિકોની હાલત રોજગારી સંદર્ભે કફોડી બની ગઇ છે. યુવાધનને નોકરીમાં લેતા પહેલા ભણતર ઓછું હોવાનું કહી કંપની સંચાલકો નોકરી આપવામાં નનૈયો ભરી દેતા હતા. હવે ઉચ્ચ અભ્યાસની ડિગ્રી મેળવી રોજગારી મેળવવા જતા સ્થાનિકો યુવાઓને આજે પણ નોકરીએ રાખવા કોઈ તૈયાર નથી. બે દિવસ પહેલા જ દહેજની ખાનગી કંપનીએ 6 કર્મચારીઓને પાણીચુ પકડાવી દેતા તેઓને પુનઃ નોકરી પર લેવા ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે રજુઆત કરી હતી પરંતુ કંપનીના મેનેજરે ચોખ્ખી ના પાડી દેતા દુષ્યંત પટેલ કંપની ગેટ પર વિરોધ પ્રદર્શન કરવા બેસી ગયા હતા. ત્યારબાદ હવે જીએફએલ કંપનીએ 4 કર્મચારીઓની અન્ય જગ્યાએ બદલી કરી દેતા મામલો ફરી ગરમાયો છે. કંપનીના કર્મચારીની વ્હારે બે ધારાસભ્યો આવ્યા હતા. અને વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કંપનીની તાળાબંધી કરી હતી. અને કંપનીના ગેટ પર જ ધરણા પર બેસી ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments