Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો, ધમધમતું થશે બજાર

Webdunia
શુક્રવાર, 4 જૂન 2021 (10:59 IST)
રાજ્યમાં કોરોના કેસ ઘટવા લાગ્યા છે. બે-અઢી મહિના પહેલાં નવા કેસનો આંકડો 14 હજારથી ઉપર પહોંચી ગયો હતો. હવે દરરોજ 1200 જેટલા કેસ આવી રહ્યા છે. કોરોના પર કાબૂ મેળવતાં જ રાજ્ય સરકારે હેર સલૂન સહિત તમામ વેપાર-ધંધાને સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની છૂટ આપી છે. કોરોનાના કેસ ઘટતાં જ સરકારે ધીમે ધીમે પ્રતિબંધો દૂર કરવા દીધા છે. જોકે નાઇટ કરફ્યુંમાં કોઇ ઢીલ આપવામાં આવી નથી. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ  દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6  વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
 ત્યારે ફરી એકવાર બજારો ધમધમતા થશે. 
 
મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ  નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે  રેસ્ટોરન્ટ  દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
 
 
36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધી નાઇટ કરફ્યું પર અમલ
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ  36 શહેરોમાં 4  જૂન થી  11 જૂન સુધીના દિવસો  દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

આગળનો લેખ
Show comments