Webdunia - Bharat's app for daily news and videos

Install App

આણંદ જિલ્લાના 30 ગામોમાં પાટીદાર અને 190 ગામોમાં ક્ષત્રિય મતદારો

આણંદ જિલ્લાના 30 ગામોમાં પાટીદાર અને 190 ગામોમાં ક્ષત્રિય મતદારો
Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (12:17 IST)
આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસનું એકચક્રીય શાસન જોવા મળે છે. જ્યારે આણંદ અને ખંભાત વિધાનસભા છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની પીછેહઠ થઇ હતી. કોંગ્રેસે સારુ જોર લગાવ્યું હતું. જેથી આ વખત કોંગ્રેસ પોતાની પ્રતિષ્ઠા જાળવવા જ્યારે ભાજપ પોતાનું વર્ચસ્વ ઉભુ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આણંદ જીલ્લામાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે જિજ્ઞેશ મેવાણીનો કોઇ પ્રભાવ નથી. માત્ર જ્ઞાતિવાદના પગલે ચૂંટણી જંગ ખેલાય છે. ક્ષત્રીય સમાજની બહુમતી ધરાવતા 190 ગામ તથા પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતા 30 ગામો આ વખતે વિધાનસભાની ચૂંટણીનું ભાવિ નક્કી કરશે. ત્યારે જોવાનુ એ રહ્યું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી નવસર્જનની લહેરમાં આણંદ જિલ્લામાં કેટલી બેઠકો કાઢે છે. તેના પર સૌની નજર રહેલી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments