Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Nature Conservation Day 2021: હવે પહેલાથી વધુ મહત્વપૂર્ણ કેમ છે આ દિવસ ?

Webdunia
શુક્રવાર, 28 જુલાઈ 2023 (08:15 IST)
દુનિયા દરેક વર્ષે 28 જુલાઈને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ઉજવાય છે. તેને લોકોમાં પ્રાકૃતિક સ્ત્રોત (Natural Resources)ના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા પેદા કરવા માટે ઉજવાય છે.  આ દિવસે પ્રાકૃતિક સંરક્ષણના મહત્વને સમજાવવામાં આવે છે. આજે પ્રકૃતિ જળવાયુ પરિવર્તન  (Climate Change), ગ્લોબલ વોર્નિંગ, જંગલ કાપવા, ગેરકાયદેસર પ્રાણીઓના અવશેષોનો વેપાર, પ્રદૂષણ, પ્લાસ્ટિક, જેવી અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે. હવે દુનિયાના અનેક દએશ પ્રાકૃતિક સંરક્ષણના મહત્વને સમજી રહ્યા છે અને આ માટે કામ પણ કરવા માંડ્યા છે. 
 
આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સ્વસ્થ વાતાવરણનો પાયો નાખવાનો છે જેથી આપણો સમાજ આજે અને ભવિષ્યમાં સ્થિર અને ઉત્પાદક રહી શકે. આ સાથે એ પણ ઈરાદો છે કે લોકો પ્રકૃતિનું શોષણ કરતી વખતે એ પણ સમજે કે તેમની આજની અને ભાવિ પેઢી માટે એક જવાબદારી છે. આ જવાબદારી નિભાવવા માટે આપણે શું કરી શકીએ છીએ તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.
 
હાલ શુ છે સમસ્યા 
 
આપણે જે રીતે પ્રકૃતિના મહત્વને ભૂલી ગયા છીએ અને પ્રકૃતિમાં અસંતુલન લાવ્યું છે જેને લીધે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે જે એક બીજાથી સંબંધિત છે. ગ્લોબલ વોર્મિંગ, ઘણી બિમારીઓ, કુદરતી આફતો, સમુદ્રની સપાટીમાં વધારો, ભૂસ્ખલન, જમીનનુ વિરાન ઉજ્જડ ભૂમિમાં પરિવર્તન, તોફાનોની સંખ્યા અને તીવ્રતામાં વધારો, અમર્યાદિત ઋતુઓ, ખાદ્ય સાંકળ તૂટી જવી, ખાદ્ય પદાર્થોનુ છિન્ન-ભિન્ન થવુ,  જૈવવિવિધતાને સંકટમાં પડવુ  એ ફક્ત થોડીક અસરો છે.
 
કેમ જરૂરી છે સંરક્ષણ  ?
 
સંરક્ષણની જરૂરિયાત માટે ઘણા કારણો છે. સૌ પ્રથમ આપણે આ સમજવું પડશે. જો આપણે પ્રકૃતિ સાથે મૈત્રીપૂર્ણ વ્યવ્હાર નહી રાખીએ  તો પ્રકૃતિ પણ આપણી મિત્ર નહી રહે. . થોડા વર્ષો પહેલા, અમને ડર હતો કે આપણી ક્રિયાઓ આપણા અસ્તિત્વ પર જ સંકટ  પેદા કરશે. પરંતુ હવે આપણે પૃથ્વીને પણ બચાવવાની જરૂર પડી ગઈ છે. આ જ કારણ છે કે આપણે કુદરતી સંરક્ષણમાં ઉર્જા, માટી, વન, લુપ્ત જાતિઓ બધાને બચાવવા એટલે સંરક્ષણ કરવાની જરૂર છે.
 

સંબંધિત સમાચાર

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments