Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra Floor Test Live Updates: એકનાથ શિંદેએ વિધાનસભામાં મેળવ્યો બહુમત, સમર્થનમાં કુલ 164 વોટ પડ્યા

Webdunia
સોમવાર, 4 જુલાઈ 2022 (13:31 IST)
Maharashtra Floor Test Live Updates : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે(Eknath Shinde)  સરકારે વિધાનસભામાં બહુમતી મેળવી છે. એકનાથ શિંદેના સમર્થનમાં કુલ 164 મત પડ્યા હતા. અગાઉ વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ સુધીર મુનગંટીવારે બહુમત સાબિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષે વોઈસ વોટ દ્વારા બહુમતી પરીક્ષણનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ બહુમત પરીક્ષણ હેડ કાઉન્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શિંદે સરકારના સમર્થનમાં કુલ 164 વોટ મળ્યા હતા. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ (Uddhav Thackeray)ને મોટો ઝટકો લાગ્યો છે. અન્ય ધારાસભ્ય સંતોષ બાંગર એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. બીજી તરફ, સ્પીકર તરીકે ચૂંટાયા પછી, રાહુલ નાર્વેકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના વિધાનમંડળ પક્ષના નેતા અને મુખ્ય દંડક તરીકે અજય ચૌધરી અને સુનીલ પ્રભુની નિમણૂક રદ કરી હતી. બીજી તરફ શિવસેનાએ સ્પીકરના આ નિર્ણય સામે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ-શિંદે ગઠબંધનની તરફેણમાં 164 વોટ મળ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડાયેલા દરેક સમાચાર માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
 
શિવસેનાના બળવાખોરો ફરીવાર જીતીને આવ્યા નથી -  અજિત પવાર
તમે શિંદેને સતત શિવસૈનિક કહો છો. છેવટે, તમારે દરેક વખતે શિંદે શિવસૈનિક હોવાનું શા માટે કહેવું પડે છે? જો એકનાથ શિંદે આટલા સક્ષમ હતા તો ફડણવીસ સાહેબ, જ્યારે તમે સીએમ હતા ત્યારે તમે તેમને વધુ મંત્રાલય કેમ ન આપ્યું. રાજ્યપાલ હવે ઘણા એક્શન મોડમાં છે. જ્યારે પણ બાળ ઠાકરેની શિવસેનાને તોડવાની કોશિશ કરવામાં આવી, ત્યારપછી એવો ઈતિહાસ છે કે એક પણ બળવાખોર ધારાસભ્ય જીતીને ફરી આવ્યો નથી.

શિવસેનાના બળવાખોરો ફરીવાર જીતીને આવ્યા નથી -  અજિત પવાર
તમે શિંદેને સતત શિવસૈનિક કહો છો. છેવટે, તમારે દરેક વખતે શિંદે શિવસૈનિક હોવાનું શા માટે કહેવું પડે છે? જો એકનાથ શિંદે આટલા સક્ષમ હતા તો ફડણવીસ સાહેબ, જ્યારે તમે સીએમ હતા ત્યારે તમે તેમને વધુ મંત્રાલય કેમ ન આપ્યું. રાજ્યપાલ હવે ઘણા એક્શન મોડમાં છે. જ્યારે પણ બાળ ઠાકરેની શિવસેનાને તોડવાની કોશિશ કરવામાં આવી, ત્યારપછી એવો ઈતિહાસ છે કે એક પણ બળવાખોર ધારાસભ્ય જીતીને ફરી આવ્યા નથી.
 
સત્તાનો ઘમંડ ન હોવો જોઈએઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સત્તાનો ઘમંડ ન હોવો જોઈએ, બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને યોગ્યતાના આધારે નિર્ણય લેવામાં આવશે.
 
હા, આ EDની સરકાર છે, એકનાથ-દેવેન્દ્રની સરકાર છેઃ ફડણવીસ
આજે હું તમને કહું છું કે આ સરકારમાં ક્યારેય સત્તા સંઘર્ષ નહીં થાય અને અમે હંમેશા સહકાર આપીશું. લોકો ટોણા મારી રહ્યા છે કે આ EDની સરકાર છે. હા, આ EDની સરકાર છે, એકનાથ દેવેન્દ્રની સરકાર છે.

સંબંધિત સમાચાર

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments