Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીનું નિધન

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2023 (07:21 IST)
કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડીનું નિધન થયું છે. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણને ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. ઓમેન લાંબા સમયથી બીમાર હતા. ઓમેનના પુત્ર ચાંડીએ જણાવ્યું કે અપ્પાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ બેંગ્લોરમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા.

<

"Former Kerala CM and senior Congress leader Oommen Chandy passes away", tweets Kerala Congress President K Sudhakaran pic.twitter.com/QAR7EfaUnI

— ANI (@ANI) July 18, 2023 >
 
કેરળ કોંગ્રેસ અધ્યક્ષે શોક વ્યક્ત કર્યો
કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરને ઓમેન ચાંડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'પ્રેમની શક્તિથી દુનિયા પર વિજય પ્રાપ્ત કરનારા  એક રાજાની વાર્તાનો કરુણ અંત થયો. આજે, હું દિગ્ગજ ઓમેન ચાંડીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ્યું અને તેમનો વારસો હંમેશા અમારી આત્મામાં ગુંજતો રહેશે.
 
તબિયત હતી ખરાબ  
ઓમેન ચાંડીએ બે વખત કેરળના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 2019 થી તેમની તબિયત સારી ન હતી. ગળામાં તકલીફ હોવાથી તેમને જર્મની લઈ જવામાં આવ્યા હતા.  તેઓ 1970 થી રાજ્ય વિધાનસભામાં પુથુપલ્લી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
 
કેરળના સીએમએ શોક વ્યક્ત કર્યો
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, 'અમે એ જ વર્ષે વિધાનસભામાં ચૂંટાયા હતા. આ તબક્કામાં જ અમે વિદ્યાર્થી જીવન દ્વારા રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા હતા. અમે તે જ સમયે જાહેર જીવન જીવ્યા હતા અને તેમને ગુડબાય કહેવું ખૂબ મુશ્કેલ છે. ઓમેન ચાંડી એક સક્ષમ પ્રશાસક અને લોકોના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા વ્યક્તિ હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments