Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીનું પીએમ બનવુ મુશ્કેલ, સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ મોટુ કારણ

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (10:29 IST)
વરિષ્ઠ ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામી સતત પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહે છે.  સ્વામીએ કહ્યુ કે જો ભાજપા 220થી 230 સીટો સુધી સમેટાઈ ગઈ તો શક્યત, નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી નહી બની શકે.  તેમનુ આ તાજુ નિવેદન નરેન્દ મોદી અને ભાજપાની મુશ્કેલીઓ વધારી શકે છે. 
 
તેમણે એક ઈંટરવ્યુમાં કહ્યુ કે મને લાગે છે કે ભાજપાનો આંકડો 230ની આસપાસ પહોંચશે. એનડીએમાં બીજા સહયોગી દળ લગભગ 30 સીટો જીતશે એટલે કે એનડીની 250 સીટો આવવી નક્કી છે.  સરકાર બનાવવા માટે અમને વધુ 30-40 સીટોની જરૂર પડશે.  આવામાં આ નવા સહયોગી દળો પર નિર્ભર રહેશે.  તેમણે કહ્યુ કે તેઓ મોદીને સ્વીકાર નહી કરે તો મુશ્કેલી થઈ શકે છે. 
 
સ્વામીએ કહ્યુ કે ચૂંટણી પછી બસપા કે બીજદ સરકાર બનાવવામાં મદદ કરી શકે છે. તેમા પરેશાની એ છે કે બીજદ પ્રમુખ નવીન પટનાયક કહી ચુક્યા છે કે મોદી ફરીથી પીએમ બની બનવા જોઈએ. તેમણે કહ્યુ કે માયાવતીએ હાલ પોતાની મંશા જાહેર નથી કરી. ઉત્તર પ્રદેશમાં બસપા, ભાજપા વિરુદ્ધ લડી રહી છે. આવામાં માયાવતી કેવી રીતે સાથે આવશે.  આ સવાલ પર સ્વામીએ કહ્યુ કે બસપા સામેલ થઈ શકે છે અને જો તે નેતૃત્વમાં બદલાવ ઈચ્છે છે તો મને તેના પર કોઈ આપત્તિ નથી. 
 
સ્વામી મુજબ મોદીના સ્થાન પર નીતિન ગડકરી પ્રધાનમંત્રી પદ માટે વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યુ કે જો આવુ થાય તો આ સારુ થશે. ગડકરીને મોદીની જેમ જ સારો વ્યક્તિ બતાવતા તેમણે કહ્યુ કે તેઓ પીએમ પદના પાત્ર છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments