Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સ્વીકાર હાર: ભાજપને આપી શુભેચ્છા

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (14:56 IST)
અમરેલી લોકસભા પર કાંટે કી ટક્કર બાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને જનતાનો ચુકાદો માથે ચડાવ્યો છે. આ સાથે ધાનાણીએ ભાજપના નેતાઓ તથા અમરેલી ભાજપના ઉમેદવારને ભવ્ય જીતની શુભકામના આપી છે.  પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોએ પુન: ભાજપને સમર્થન આપ્યું છે. એવું ન હતું કે સમસ્યા ન હતી, દેશમાં પ્રશ્નો ન હતા,  ખેડૂતોના દેવાને ‌લઈ, ભ્રષ્ટાચાર-અત્યાચારોને લઈ, લોકોમાં સમસ્યાઓ હતી. પરંતુ સમસ્યાઓને કોરાણે મૂકીને લોકોએ સરકારને પુન: સમર્થન આપ્યું છે ત્યારે સરકાર જનતાના વિશ્વાસ પર ખરી ઉતરશે એવી આશા છે.  આ સાથે કોંગ્રેસની હારના કારણો અંગે તેમણે જણાવ્યું હતું કે, અમે લોકોના મન વાચવામાં નિષ્ફળ ગયા છે. હવે અમે લોકોના મનના ઊંડાણ સુધી જશું, હારની સમીક્ષા કરશું  તથા જરૂર પડશે ત્યાં સુધારા કરશું. અમે લોકો સાથે ખભેખભો મેળવીને લોકોના પ્રશ્નોને વાચા આપશું. વિપક્ષ તરીકે અમે વધુ સક્રિય રહીને, વધુ ઉત્સાહ અને સતર્કતાથી વાચા આપશું.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments