Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૉંગ્રેસને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને શા માટે ઉતારવા પડ્યા?

કૉંગ્રેસને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને શા માટે ઉતારવા પડ્યા?

હરિતા કંડપાલ

, ગુરુવાર, 4 એપ્રિલ 2019 (10:01 IST)
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી માટે અમરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા મનીષ દોશીએ આ વાતને સમર્થન આપ્યું છે.
ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવનારા પરેશ ધાનાણી કૉંગ્રેસનો યુવા ચહેરો છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દોશીએ જણાવ્યું, "ધાનાણી માત્ર પાટીદારોમાં જ નહીં પણ અન્ય સમાજોમાં પણ સ્વીકૃત છે."
દોશીના જણાવ્યા અનુસાર કૉંગ્રેસની સૅન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે.
એ યાદી અનુસાર ગાંધીનગરથી કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે, જામનગરથી મૂળુભાઈ કંડોરિયા અને સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલને ઊતારવામાં આવ્યા છે. જ્યારે અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવાયા છે.
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના જણાવ્યા અનુસાર અમરેલી કૉંગ્રેસની મજબૂત બેઠક છે અને સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી મોટા નેતા ગણાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડા પ્રધાન મોદીની બાયૉપિકની કહાણી કેટલી સાચી?