Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami Date 2020 : જન્માષ્ટમી ક્યારે છે ? મથુરા અને ગોકુળમાં જાણો કયારે ઉજવાશે જન્માષ્ટમી

Webdunia
સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:07 IST)
Krishna Janmashtami 2020 Date In India : કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે, આ પ્રશ્ન  દર વર્ષેની જેમ પણ આ વખતે પણ ગૂગલમાં લોકો સર્ચ કરી રહ્યા છે. જો કે આ વખતે  કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે, મંદિરોમાં દર વર્ષની જેમ રોનક જોવા નહી મળે. , પરંતુ લોકો ઘરમાં કૃષ્ણ જન્મોત્સવની ખાસ રીતે ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. ખરેખર કૃષ્ણના જન્મ વિશે જુદી જુદી માન્યતાઓ છે અને આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે.  ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એક બાજુ ભગવાન કૃષ્ણ પોતાની રીતે ઉજવે છે જ્યારે કે ભક્તો પોતાની રીતે. અનેક જગ્યાએ ઝાંકી સજાવવામાં આવે છે જ્યારે કે મહારાષ્ટ્રમાં દાહી-હંડીની રમતનું આયોજન કરવામાં આવે છે. મથુરામાં વ્રજ સહિત સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 12 ઓગસ્ટે ઉજવાશે, બીજી બાજુ નંદગામ જ્યા ભગવાન કૃષ્ણનુ બાળપણ વ્યતીત થયુ હતુ  ત્યા એક દિવસ પહેલા આનુ આયોજન કરવામાં આવશે. 
 
બ્રજના મંદિરોમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવા છતાં, કોરોના વાયરસ સંકટને કારણે આ વખતે સાર્વજનિક રૂપ આપવામાં નહી આવે. આ પ્રસંગે શ્રી કૃષ્ણના જન્મસ્થળ જેવા મંદિરોમાં ભક્તોને વિશેષ તકોનું વિતરણ કરવામાં આવશે નહીં. નંદગાંવમાં સેંકડો વર્ષોથી ચાલી રહેલી 'ખુશી કે લાડુ' વિતરણની પરંપરા પણ આ વખતે નહી નિભાવવામાં આવે. 
 
ભાદરવા મહિનાની અષ્ટમીએ કૃષ્ણના જન્મદિવસના અવસરમાં જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. વિદ્વાનોના જણાવ્યા મુજબ, ભદ્રપદ મહિનાની અષ્ટમી તારીખે સૂર્યોદય થવા મુજબ જ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે, પરંતુ નંદગાંવમાં આનાથી ઉંઘુ  શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસથી આઠમના દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવાની પ્રથા ચાલી આવી છે. 
 
બ્રજનાં તમામ મંદિરોમાં ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાના સચિવ કપિલ શર્માએ જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ જન્મસ્થાન ખાતે જન્માષ્ટમી 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. અહીં, દ્વારકાધીશ મંદિર, વૃંદાવનના ઠાકુર બાંકેબિહારી મંદિરમાં પણ કૃષ્ણ જન્માષ્ટમી પર્વ 12 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે. આ માહિતી મંદિરોના મીડિયા પ્રભારી અને સંચાલકોએ આપી છે.  

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments