Festival Posters

Cooking Tips: કારેલાનુ શાક કડવુ થઈ જતુ હોય તો આ ટિપ્સ અપનાવી જુઓ

Webdunia
શનિવાર, 8 જૂન 2024 (12:22 IST)
Cooking Tips: મોટાભાગના ડોકટરો ઉનાળાની ઋતુમાં કારેલા ખાવાની સલાહ આપે છે. કારેલામાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારેલાનું સેવન અનેક રોગોમાં થાય છે. કારેલા એક એવું શાક છે જેને યોગ્ય રીતે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. જો કે કારેલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે તૈયાર ન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ કડવો બની જાય છે.
 
મોટા લોકો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એમ વિચારીને હજુ પણ એક વાર કારેલા ખાઈ લે, પરંતુ બાળકો તેને ખાવામાં ખૂબ જ નખરા કરે છે. જો તમે પણ તમારા દ્વારા બનાવેલ કારેલાનુ શાક કડવુ રહી જવાને લઈને પરેશાન છો તો આ લેખ તમારા માટે છે. આ લેખમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ, જેને અનુસર્યા પછી કારેલાના શાકની કડવાશ દૂર થઈ જશે.
મીઠુ લગાવીને રાખો 
 
કારેલા બનાવતા પહેલા લગભગ 30 મિનિટ માટે કારેલાને સારી રીતે મીઠુ લગાવીને મુકો.  મીઠામાં રહેલા મિનરલ્સ  કારેલાના કડવા રસને દૂર કરવામાં મદદ કરશે. જો તમે ઈચ્છો તો તેને મીઠાના પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. તેને બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવાનુ ધ્યાન રાખો.  
Best Way To Cook Bitter Gourd
કારેલાના બીજ હટાવો 
 
કારેલાના બીજમાં ખૂબ કડવાશ જોવા મલે છે. આવામાં તમે કારેલા કાપતી વખતે તેના બીજાને કાઢી લો. બીજ કાઢ્યા બાદ તેની કડવાશ ઘણી બધી ઓછી થઈ જશે. 
 
સારી રીતે છોલો 
 
કારેલાને બનાવતા પહેલા તેને જરૂર છોલી લો. આવુ કરવાથી તેની કડવાશ ઓછી થઈ જશે. કારેલાના છાલટામાં જ સૌથી વધુ કડવાશ જોવા મળે છે. આવામાં તેનુ જાડુ છાલટુ ઉતારી લો. તમે ચાહો તો તેને તાપમાં સુકાવીને ભરેલા કારેલા બનાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. 
  
દહી ઓછી કરશે કડવાશ 
જો તમે કારેલા બનાવવાના એક કલાક સુધી તેને દહીમાં પલાળીને મુકશો તો તેનાથી પણ કારેલાની કડવાશ મોટેભાગે ઓછી થશે. કારેલા બનાવવા માટે તેને દહીમાંથી કાઢી લો અને પછી તેનુ શાક બનાવી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments