rashifal-2026

જમતી વખતે જો તમેં ટીવી જુઓ છો તો થઈ જાવ સાવધાન, ડાયાબીટીસ સહિત અનેક બીમારીઓને આપો છે આમંત્રણ

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (00:41 IST)
watching tv when eating food
માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેની પાસે ખાવાનો પણ સમય નથી. જૂના જમાનામાં લોકો સમયસર ભોજન લેતા હતા અને જમતી વખતે ન તો વાત કરવી કે મનોરંજન કરવુ પસંદ કરતા હતા. આ જ કારણ હતું કે એ સમયે લોકોમાં બીમારીઓ ઓછી હતી. પરંતુ તેનાથી ઉલટું, આજના સમયમાં જમતી વખતે પણ લોકોના હાથમાંથી મોબાઈલ છૂટતો નથી, આટલું જ નહીં, લોકો ટીવી જોયા વિના પણ ખાવાનું ખાતા નથી. જો તમારી પણ આવી આદત છે તો સમયસર ધ્યાન રાખો. અહીં અમે તમને મોબાઈલ કે ટીવી જોતી વખતે ખાવાના નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
 
ભોજન કરતી વખતે મોબાઈલ કે ટીવી કેમ ન જોવું જોઈએ? (Why not to watch TV while eating)
 
જાડાપણું - ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ હેલ્થના એક રિપોર્ટ અનુસાર, જે લોકો ટીવી જોતા જોતા ખોરાક ખાય છે તેઓ પોતાના ડાયટ પર ધ્યાન આપી શકતા નથી, જેના કારણે તેઓ વધારે ખાવાનો શિકાર બને છે. અતિશય આહારને કારણે વજન વધે છે અને લોકો મેદસ્વી બને છે.
 
ડાયાબીટીસ - જે લોકો ટીવી કે મોબાઈલ ફોન જોતા ખોરાક ખાય છે તેમાં ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે. વાસ્તવમાં જે લોકો ટીવી કે મોબાઈલ ફોન જોઈને ખાય છે, તેમના શરીરનું મેટાબોલીજ્મ ધીમુ પડી જાય છે, જેના કારણે વજન વધે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
 
દિલની બિમારી 
જે લોકો પાસે ખોરાક ખાવાનો સમય પણ નથી અને તેઓ ભોજનની સાથે મોબાઈલ અને ટીવી પણ જુએ છે, તેઓ ફિટ રહેવા માટે કસરત માટે ઓછો સમય કાઢી શકે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર અને દિલની બિમારી નું જોખમ વધી જાય છે.
 
ખરાબ ડાયજેશન
ટીવી જોતા જોતા ખાનારા લોકોમાં પાચનની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. વાસ્તવમાં, ટીવી જોતી વખતે, લોકો ખોરાકને બરાબર ચાવ્યા વિના ઝડપથી ખાઈ લે છે, જેના પછી પેટમાં અપચો, દુખાવો અને કબજિયાતની સમસ્યા ઊભી થાય છે.
 
ઉઘ પૂરી ન થવાની મુશ્કેલી 
જો તમે રાત્રે ટીવી કે મોબાઈલ ફોન જોતી વખતે ખાવાનું ખાશો તો તેની અસર તમારી ઊંઘ પર પણ પડી શકે છે. વાસ્તવમાં, સ્ક્રીન પર જોતી વખતે ખોરાક ખાવાથી તમે કેટલું ખાધું છે તેની પરવા નથી થતી. આ પછી, જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થાય છે અને ઊંઘમાં વારંવાર ખલેલ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

એસી કોચમાંથી 5 કરોડના સોનાના દાગીના ગાયબ... ટ્રેનમાં મુસાફરો બેભાન સૂઈ રહ્યા છે; રેલ્વે સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા

Goa Nightclub fire- લુથરા બંધુઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, આગોતરા જામીન અરજી દાખલ કરી

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ; સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

સુરત કાપડ બજારની ઇમારતમાં ભયાનક આગ, જુઓ વિડિઓ

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments