rashifal-2026

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Webdunia
શુક્રવાર, 10 મે 2024 (00:37 IST)
ખોરાક ખાવાથી હેલ્થ બને છે, પરંતુ તમે શું ખાઈ રહ્યા છો અને કેટલું ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આજકાલ મોટાભાગના રોગો આપણા આહાર અને લાઈફસ્ટાઈલના કારણે થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટ અનુસાર અડધાથી વધુ રોગો આપણા અસ્વસ્થ ખોરાકને કારણે થાય છે. કેટલાક લોકો જરૂરિયાત કરતા વધુ ખાઈ રહ્યા છે તો કેટલાક કુપોષણનો શિકાર બની રહ્યા છે. થાળીમાંથી પોષક તત્વો તો જાણે ગાયબ જ થઈ ગયા છે. જાણો એક તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં કેટલા ગ્રામ ખોરાક લેવો જોઈએ?
 
થાળીમાં કેટલી હોવી જોઈએ ખોરાકની માત્રા  ?
ICMR દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તંદુરસ્ત વ્યક્તિની થાળીમાં દરરોજ 1200 ગ્રામથી વધુ ખોરાક ન હોવો જોઈએ. આટલા ખોરાકમાંથી આપણા શરીરને 2000 કેલરી મળે છે. જો તમારી થાળીની વાત કરીએ તો આખા દિવસમાં તમારે 400 ગ્રામ શાકભાજી, 100 ગ્રામ ફળો, 300 મિલી દૂધ અને દહીં, 85 ગ્રામ ઈંડા કે કઠોળ, 35 ગ્રામ ડ્રાય ફ્રૂટ્સ અને બીજ, 250 ગ્રામ અનાજ ખાવું જોઈએ. 
 
એક દિવસમાં સ્વસ્થ રહેવા માટે કેટલો ખોરાક ખાવો જોઈએ?
સ્વસ્થ રહેવા માટે તમે એક દિવસમાં 27 ગ્રામથી વધુ તેલ એટલે કે કોઈપણ લુબ્રિકન્ટનું સેવન કરી શકો છો. આનાથી વધુ સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે નોન-વેજ ખાઓ છો, તો તમે એક દિવસમાં 70 ગ્રામ ચિકન અથવા માંસ ખાઈ શકો છો.
 
ડાયેટથી કંટ્રોલ કરી શકો છો આ ખતરનાક બિમારી 
 
ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે લોકોને હેલ્ધી અને યોગ્ય માત્રામાં ખાવાની અપીલ કરી છે. ICMR દ્વારા 17 ખાદ્યપદાર્થોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જો લોકો આ બાબતોને ધ્યાનમાં રાખીને આહાર લે તો ડાયાબિટીસ ટાઈપ 2, હાઈ બ્લડ પ્રેશર અને દિલની બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો! ત્રણ દીકરીઓને એક પુત્રનો આશીર્વાદ મળ્યો.

IND vs SA, 2nd ODI LIVE Cricket Score: સાઉથ આફ્રિકાએ જીત્યો ટૉસ,રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે કરી શરૂઆત

Bhavnagar Complex Fire: ભાવનગરના એક કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ, ઈમારતમાં 10-15 હોસ્પિટલ

Delhi MCD Bypoll Results: 12 સીટો પર કોણે ક્યાથી નોંધાવી જીત, સૌથી ઓછા-વધુ માર્જીનથી કોણ જીત્યુ, જાણો આખુ લિસ્ટ

ગુજરાતના ભાવનગરમાં એક પેથોલોજી લેબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

વધુ જુઓ..

ધર્મ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

આગળનો લેખ
Show comments