Biodata Maker

સાવધાન... કેમિકલયુક્ત કેરી ખાશો તો શરીર બની જશે રોગોનું ઘર, આ રીતે ઓળખો તમારી કેરી કેમિકલથી પકવેલી તો નથી ?

Webdunia
રવિવાર, 2 જૂન 2024 (08:21 IST)
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષક તત્વોથી પણ ભરપૂર છે. આ દિવસોમાં બજારમાં ઘણી કેરીઓ જોવા મળી રહી છે. બહુ ઓછા લોકો હશે જેમને આ ફળ સ્વાદિષ્ટ ન લાગે. માત્ર તેનું સેવન કરવાથી અનેક પ્રકારની ખતરનાક બીમારીઓથી બચી શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક આ ફળ આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પણ પહોંચાડી શકે છે. ખરેખર, આજકાલ દરેક વસ્તુ મિલાવટી કે નકલી મળી જાય છે અને તેમાંથી એક કેરી છે. આવી સ્થિતિમાં, તમે તેમને જોઈને જાણી શકતા નથી કે આ અસલી કેરી નથી. કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ સમય પહેલા તેને પકવવા માટે કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. માત્ર આ કારણોસર FSSAIએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, અમે તમને વિગતવાર જણાવીએ કે કેલ્શિયમ કાર્બાઇડ શું છે, તેના નુકશાન અને તમે કેરીને કેવી રીતે સાફ કરી શકો છો.
 
કેલ્શિયમ કાર્બાઇડ શું છે? 
આ એક પ્રકારનું કેમિકલ છે જેનો ઉપયોગ ફળોને ઝડપથી પકવવા માટે કરવામાં આવે છે. આ રસાયણ ફળોને ઝડપથી પકવે છે એટલું જ નહીં પણ ફળોમાં રહેલ ભેજને પણ સુકવી નાખે છે અને તેમાં એસીટીલીન નામનો ગેસ ઉત્પન્ન કરે છે.  પરંતુ તમારી જાણકારી માટે બતાવી દઈએ કે એસીટીલીન ગેસમાં આર્સેનિક અને ફોસ્ફરસ જેવા હાનિકારક તત્વો પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.
કેલ્શિયમ કાર્બાઇડના નુકશાન 
- વારેઘડીએ તરસ લાગવી 
- ચક્કર આવવા 
- કમજોરીનો  અનુભવ 
 
ખોરાક ગળવામાં મુશ્કેલી 
- લીવર અને કિડની રોગનું જોખમ 
- જો તમે લાંબા સમયથી આ કેમિકલનું સેવન કરી રહ્યા છો તો કેન્સરનું જોખમ પણ વધી જાય છે.
આ રીતે કેરીને સાફ કરો અને ઓળખો 
 
સૌથી પહેલા તમે જ્યારે પણ કેરી ખરીદો ત્યારે તેને પાણીથી સારી રીતે ધોઈ લો અને થોડી વાર પાણીમાં બોળી રાખો. કુદરતી રીતે પાકેલી કેરી ખૂબ જ સુગંધિત હોય છે, જ્યારે રાસાયણિક રીતે પાકેલી કેરીમાં સુગંધ ઓછી હોય છે. તેથી, કેરી ખરીદતા પહેલા, વ્યક્તિએ તેને સારી રીતે સૂંઘી લેવી જોઈએ. આ સાથે કેરીની પરખ કરવા માટે તેને પાણીમાં નાખવી જોઈએ. કુદરતી રીતે પાકેલી કેરી પાણીમાં બેસી જાય છે, જ્યારે રાસાયણિક રીતે પાકેલી કેરી ક્યારેક પાણી પર તરતી રહે છે.
 
કેરીના રંગ પરથી કેરીને ઓળખી શકાય છે. જ્યારે તે પાકે છે ત્યારે તે પીળા અને લીલા રંગના હોય છે. અને એકદમ સુંદર દેખાય છે. જ્યારે કેમીકલથી પકવેલી કેરી કાં તો પીળી હશે અથવા તો માત્ર તમામ રંગોની હશે. જો કેરીમાં કોઈ કાળો ડાઘ હોય તો તે સ્પષ્ટપણે સૂચવે છે કે તે રસાયણોથી પાકેલી છે.
 
બીજી રીતે જોવી હોય તો તમે કેરીને કાપીને જોઈ શકો છો. જો કેરી ચારેબાજુ અંદરથી સરખી રીતે પાકેલી હોય તો તે કુદરતી રીતે પકવેલી છે. જો વચ્ચેનો ભાગ ઓછો પીળો અને બહારનો ભાગ વધુ પીળો હોય તો તેને કાર્બન કાર્બાઈડની મદદથી પકવવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્તીસગઢમાં ભયાનક માર્ગ અકસ્માત... કાર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

Indigo flights cancellation: દિલ્હી એરપોર્ટ પર આજે ઘણી ફ્લાઇટ્સ રદ, હજારો મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટવાયા

ગોવા નાઈટક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે તે જાણો

દિલ્હીમાં કારે મોટરસાઇકલને ટક્કર મારી, લગ્નમાં જઈ રહેલા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Night Club Fire- ગોવામાં થયેલી દુર્ઘટના વધુ ભયાનક બની શકી હોત! એક સુરક્ષા ગાર્ડે કહ્યું, "ત્યાં મોટી ભીડ હોવાની હતી, પરંતુ આગ પહેલા જ લાગી ગઈ હતી

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આગળનો લેખ
Show comments