Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

civil hospital
, મંગળવાર, 21 મે 2024 (08:29 IST)
અમદાવાદ  પ્રચંડ ગરમી પડી રહી છે તેમ છતાં બહારનું ખાવાપીવાનું નહિ ટાળતાં અને તાપમાં નીકળતાં નાગરિકોને ઝાડાઊલટી, ટાઇફોઇડ તથા કોલેરા જેવા ગંભીર રોગચાળાનો ભોગ બનવું પડી રહ્યું છે. 
 
રોગચાળાનાં આંકડા
 
ઝાડાઊલટી 1078
 
કમળો 107
 
ટાઇફોઇડ 300
 
કોલેરા 24
 
ડેન્ગ્યૂ 44
 
મેલેરિયા 26
 
કોલેરાનાં કેસ કયા વિસ્તારોમાં નોંધાયા
 
શહેરમાં મ્યુનિ. પીવાનાં પાણીની લાઇનમાં ગટરનાં પાણી કે અન્ય અશુદ્ધિ ભળી જાય તે પાણી પીવામાં આવે તો ઝાડાઊલટી, કમળો થતો હોય છે, પરતું પીવાનાં પાણીમાં અતિશય પ્રદૂષણ ભળી જાય ત્યારે તે પીવામાં આવે તો અથવા તો વાસી-બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ ખાવાથી કોલેરા થઇ જાય છે. 
 
ગત સપ્તાહે રામોલ-હાથીજણ, દાણીલીમડા, લાંભા, ભાઇપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ અને અમરાઇવાડીમાં કોલેરાનાં કેસ નોંધાયા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય