Festival Posters

શું તમે પણ ફિટનેસનાં ચક્કરમાં ઘી-તેલ ખાવું બંધ કરી દીધું છે તો જાણી લો તેના નુકશાન

Webdunia
રવિવાર, 17 માર્ચ 2024 (01:08 IST)
oil ghee
 
ફિટનેસના ચક્કરમાં  લોકો પહેલા પોતાના ડાયેટમાંથી  ઘી અને તેલનું પ્રમાણ ઘટાડે છે. ઘી કે તેલનું વધુ પડતું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન થાય છે, પરંતુ એ પણ સત્ય છે કે તેને ન ખાવાના નુકશાન પણ છે.  આનું નાં  તો  વધારે પડતું સેવન સારું છે અને ન તો બહુ ઓછું. શરીરને સ્વસ્થ રાખવા માટે તમામ પોષક તત્વોનું સંતુલન જરૂરી છે. એ જ રીતે ફિટ રહેવા માટે ઘી અને તેલ પણ જરૂરી છે. હા, પણ તમારે  ક્વોન્ટીટી અને ક્વોલિટી ધ્યાનમાં રાખીને જ ઘી તેલ  વાપરવું જોઈએ અને  આવો જાણીએ ડાયેટમાંથી ઘી તેલ કાઢી નાખવાથી શું થશે નુકશાન. 
 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લાંબા સમય સુધી ઘી અને તેલને આહારમાંથી હટાવવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી. ઘણા બધા એવા માઈક્રોન્યૂટ્રીશંસ  (Miçronutrients) હોય છે જે ચરબીમાં દ્રાવ્ય હોય છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે તે જરૂરી છે. તેથી, મર્યાદિત માત્રામાં ઘી તેલનું સેવન કરવું જરૂરી છે.
 
દરરોજ કેટલું ઘી ખાવું જોઈએ?
આયુર્વેદ મુજબ તમારે દરરોજ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરવું જોઈએ. સ્વામી રામદેવ  દરરોજ ઓછામાં ઓછા 2 ચમચી દેશી ઘી ખાવાની ભલામણ કરે છે. તેનાથી હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. ઘૂંટણમાં ચીકાશ  બની રહે છે અને દુખાવાની સમસ્યા ઓછી થાય છે. જ્યારે તમારે વનસ્પતિ તેલ બદલી બદલીને ખાવું જોઈએ.
 
રોજ કેટલું તેલ ખાવું જોઈએ?
વધુ પડતું તેલ શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેલમાં જોવા મળતા ફેટી એસિડ્સ પણ શરીર માટે જરૂરી છે. WHO અનુસાર, પુખ્ત વ્યક્તિએ દિવસમાં 4 ચમચીથી વધુ તેલનું સેવન ન કરવું જોઈએ. આમાં ઘી અને તેલની તમામ માત્રા સામેલ છે. એટલે કે, કોઈપણ પ્રકારનું તેલ 4 ચમચીથી વધુ ન ખાવું.
 
ઘી તેલ બંધ કરવાથી શું નુકસાન થાય છે?
જો તમે ઘી તેલ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો તે લાંબા ગાળે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે દિવસભર થાક અનુભવી શકો છો. શરીરમાં આવશ્યક ચરબીનું પ્રમાણ ઘટવા લાગશે. ફેડ ફ્રી ડાયટ તમારું  વજન તો ઘટાડશે  પરંતુ તેનાથી શરીર પર ઘણો સ્ટ્રેસ પણ આવે છે. જેની લાંબા ગાળે શરીર પર ખરાબ અસર પડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે અમિત શાહ કોલકાતા પહોંચ્યા. વાવાઝોડાને કારણે તેમના વિમાનનું ઉતરાણ બે કલાક મોડું થયું.

ચૂંટણી જીતવા ભાજપનો માસ્ટરપ્લાન: મીડિયા ટીમની જાહેરાત

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ, પૂર્વ ગૃહ મંત્રી પણ થયા અરેસ્ટ, જાણો શું છે મામલો

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી કરી

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', અલ્હાબાદ હાઇકોર્ટનો મોટો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાંગ -28 માર્ચ

Kamada Ekadashi 2026: 28 કે 29 માર્ચ, ક્યારે રાખવામાં આવશે કામદા એકાદશીનુ વ્રત ? જાણો તારીખ અને પૂજા વિધિ

Aaj nu panchang - આજનુ પંચાંગ -27 માર્ચ

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

Happy Ram Navami 2026 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments