Dharma Sangrah

એક સુશિક્ષિત બેકારની આપવીતી / એક ગ્રેજ્યુએટની આત્મકથા

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (14:18 IST)
મુદ્દા: આપવીતી કહેવા પાછળની ભૂમિકા 2. શાળા-કૉલેજ જીવનના સોનેરી સોણલાં 3. આદર્શ અને વ્યવહાર વચ્ચે ઉંડી ખાઈ 4. બેકારીમાં ખપ્પરમાં અરમાનોના ભરખાઈ ગયા! 5. ઉપસંહાર 
મોંઘવારી અને બેકારીના બેવડા ખપ્પરમાં હોમાયેલાં હું તમને મારી દર્દભરી દાસ્તાન કહેતા શરમાઉં છુ! કેમ કે મારા જેવો ગ્રેજ્યુએટ નવજુવાન છેલ્લા બે વરસથી તદ્દન બેકાર હાલતમાં  માબાપ અને સમાજ માટે ભારરૂપ થઈને ફતો હોય એ કાંઈ જેવી તેવી શરમ નથી. 
 
પહેલાં તો હું યુનિવર્સિટીનો વાંકા કાઢતો હતો, આજની શિક્ષન પ્રથાને દોષ દેતો હતો. પરીક્ષા પદ્ધતિને પોકળ કહેતો હતો અને લાંચ રૂશ્વતની બદીને બદનામ કરતો હતો, પરંતુ બે વર્ષની સતત સંઘર્ષમય સ્થિતિમાં વાસ્તવિક જીવનનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી લીધા પછી મને લાગે છે કે બીજી કોઈનો વાંક નથી બસ મારો જ વાંક છે. હું ભણ્યો શું કામ? અભણ કેમ ન રહ્યો.. ? 
 
તમને થોડો આંચકો લાગશે કે કેમ હું ભણતરને વગોવી રહ્યો છું ને નિરક્ષરતાને બિદરાવી રહ્યો છું. "પરંતુ હું હૈયાનો બળેલો છું ને દિલનો દાઝેલો છું"  એટલે હવે કક્યારેક કડવી વાત પણ કહેવાઈ જાય છે. પણ મારી વાત સાવા નાંખી દેવા જેવી નથી. મારા ગામમાં પ્રાથમિક શાળામાં જેઓ મારી જોડે ભણતા હતા તે પેલા ચીમલ વાળંદ રણછોડ લુહાર, માણેકલાલ ઘાંચી કેશવ કંદોઈ, ખુશા, મોચી, પરસોત્તમ દરજી, બબો પટેલ, જેસીંગ સુથાર એ બંધાયને જૌં છુ ને મારુ શેરશેર લોહી બળી જાય ચે. આમાંના એકેય ગ્રેજ્યુએટ તો શું, મેટ્રિક પણ પાસ નથી અને છતાં  એમાનો એકેય બેકાર નથી. એટલું જ નહિ પોતપોતાના બાપદાદાના ધંધામાં તેઓ સારામાં સારું કમાય છે ને પૂરેપૂરા સુખી છે. 
 
જ્યારે હું? આહા! જ્યારે SSC માં પાસ થયો હતો. ત્યારે બાપાસે સાકર વહેચેલી કેમ કે એક તો ગામનો શેઠનો દીકરો જાતે વાણિયોને ગણિતમાં 100 માંથી 100 ગુણ સાથે ફર્સ્ટ ક્લાસમાં પાસ થયેલો! પરંતુ વ્યવહારના ગણિતમાં એવો કાચો પફ્યો કે ચાર વરસ શહરની હૉસ્ટેલમાં રહી રૂપિયા પાંચ હજારનું પાણી કરી બી કૉમ થવા છ્તાં નોકરી માટે પસંદ થતો નથી . 
 
મારી કરૂણતા તો એ છે કે ગયે વર્ષે મારા લગ્ન પણ થઈ ગયા છે ને આ દિવાળી પર તો મારી પત્નીને તેડી લાવવાની છે! હાય બેકારી! હું શું મ્હોં લઈ મારી નવોઢા ભાર્યાના દિલના અરમાન પૂરા કરી શકીશ? 
 
મને સૌથી વધુ દુખ તો એ બાબતનું છે કે ચાર વર્સ અમદાવાદ શહેરની હવા ખાદ્યા પછી અને કોલેજિયન યુવાનોની સોબનો રંગ લાગ્યા પછી હવે હું નથી મારી ગામડી રહી શકતો નથી મારા બાપાની કરિયણાની દુકાને બેસી શકતો! આમ તો ગામમાં  મારા બાપની વર્ષો જૂની હાટડી ચાલે છે અને ખાદ્યાખોરાકીનો ખર્ચ બા દ કરતાં વરસે દહાડે પાંચેક હજાર રૂપિયાની બચત થયા એટલું તો મારા વૃદ્ધ પિતા આ નાનકડી દુકાનમાંથી રળી લાવે છે. પરંતુ હું એવું ભણયર ભણ્યો છે કે મને મહેનતનું કોઈ કામ કરવાનું ગમતો નથી. મારે તો બેંકમાં કે સરકારી ઑફિસમાં કલાર્કની ઉજળી નોકરી કરવાની આશા છે. જે પૂરી થતી નથી ને મારી બેકારી ટળતી નથી. 
 
દોસ્તો!  "ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો" એવી વિચિત્ર દશામાં હું અમદાવાદની સડકો પર ઘૂમી રહ્યો છું. મારા હાથમાં સર્ટિફિકેટોની ફાઈલ છે ને મારી મજર પેલાં ઉંચા ગગનચૂંબી  મકાનોની એરકડિંશન ઑફિસો પર ચે જ્યાં મારે એકાદ ખૂણામા ગોઠવાઈ જવું છે. પરંતિ લાગવદ યા લાંચ બેમાંથી એકયની ત્રવડ મારી પાસે નથી એટલે નિરાશ થઈને હવે આપઘાત કરીને આ ફાની દુનિયાનો ત્યાગ કરી દેવાના ગોઝારા ઇચાર પર આવી ગયો છું બીજું થાય પણ શું 
 
 
તેમ છતાં હજી પણ મનમા ઉંડાણમાં આશાની જ્યોત ઝગમગે છે કે 
પડ્શું  અનેકાર વાર પણ ઠોકર બની જશે 
સાચી દિશાનો પંથ છે ઠોકરની આસપાસ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments