suvichar

ફાટેલા હોઠ, મુશ્કેલી જ મુશ્કેલી...

Webdunia
થોડુક ધ્યાન ન રાખવાને લીધે અને ખાસ કરીને શિયાળામાં હોઠની ફાટવાની મુશ્કેલીથી બધા જ હેરાન હોય છે. તેમાંય વળી ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે.

હોઠ ફાટવાના બે મુખ્ય કારણો છે-અંદરનું અને બહારનું. વિટામીન બી અને સીની ઉણપને લીધે અને હવા, મૌસમનું પરિણામ, સતત ઠંડો પવન ફુંકાવો આ બધી જ વસ્તુઓ જવાબદાર છે. આનાથી વધારે ક્રિમ, લોશન તેમજ લિપ્સ્ટીકનો પ્રયોગ પણ હોઠની સુંદરતાને બગાડે છે.

ઘરેલુ ઉપચાર :

હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયા, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામીનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે તેલની માલિશ કરતી વખતે સવારે 3-4 ટીંપા તેલના નાભીમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.

હોઠની સંભાળ માટે દોઢ ચમચી કેસ્ટર ઓઈલ, બે ચમચી બોરિક વૈસલિનને ભેળવીને ઓછામાં ઓછી બે વખત હોઠો પર (રાત્રે સુતા પહેલાં અને સવારે નહાયા પહેલાં) હલ્કા હાથે લગાવવાથી લાભ થાય છે.
  N.D

* રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.

* એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીનના ભેળવીને આને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારા થઈ જશે.

* 25 ગ્રામ નારિયેળનું તેલ, 25 ગ્રામ એરંડાનું તેલ, 30 ગ્રામ સફેદ મીણ, 15 ગ્રામ જૈતુનનું તેલ, આ બધી જ વસ્તુને સારી ભેળવી લો અને મીણને હલ્કુ ગરમ કરીને મલહમ બનાવી લો. દરરોજ સુતા પહેલાં આને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ રહે છે.

* જો ક્રિમ, લિપ્સ્ટીક વગેરેને લીધે હોઠ ફાટતાં હોય તો આ બધી વસ્તુઓનો પ્રયોગ તુરંત જ બંધ કરી દો. ભોજનમાં વધારે પડતાં મસાલાવાળા અને ચટપટા ભોજનને ટાળવું જોઈએ.

સંબંધિત સમાચાર

હાર પછી નિશબ્દ થયા કપ્તાન હાર્દિક પંડ્યા, બોલ્યા - મારી પાસે હાલ બોલવા માટે કશું નથી

VIDEO: આ કેચ હતો કે જાદુ, વાનખેડેમાં બાઉન્ડ્રી લાઈન પર જોવા મળ્યો ઐય્યરનો મેજિક, રોહિત શર્મા પણ રહી ગયા દંગ

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments