Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની બેઠક મણીનગર પર 16 ઉમેદવારો મેદાને પડતાં ભાજપમાં હડકંપ

Webdunia
મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (12:50 IST)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ભારતના ઈતિહાસમાં અનોખી અને ટર્નીંગ પોઈન્ટ વાળી સાબીત થવાની છે. એક બાજુ ભાજપને હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાઈ અને અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતા અને જનસમુદાયના વિરોધનો ભય છે ત્યારે વડાપ્રધાન મોદી જે વિધાનસભા બેઠક ઉપરથી સતત ત્રણ વાર જીત્યા હતા તે બેઠક ઉપર ભાજપાના જ 16 ઉમેદવારોએ દાવો નોંધાવ્યો છે.

હાલમાં ગુજરાત પૂરજોશમાં ચૂંટણીના રંગે રંગાઈ ગયું છે. ત્યારે જુદી જુદી બેઠક માટે દાવેદારો પોતાના સમર્થકો સાથે ખૂબ લોબિંગ કરી રહ્યા છે. આવી જ એક બેઠક છે મણીનગર જેના માટે એક બે નહીં પરંતુ 16 જેટલા દાવેદારોએ ટિકિટની માગણી કરી છે.  મણિનગર વિધાનસભા બેઠકના વિસ્તારની વાત કરીએ તો આ બેઠકમાં મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનનાં લાંભાથી શરૂ થઈને છેક સી.ટી.એમ મિલ સુધીના વિસ્તારને આવરી લે છે. જો કે આ બેઠક પરથી દાવેદારી નોંધવનારા મોટા ભાગના લોકો પટેલ સમુદાયના છે. હાલમાં મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ છે. જે વર્ષ 2014માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, મણિનગર બેઠક પરથી લાંભા વોર્ડમાંથી યુવા નેતા અને પૌરસ પટેલે દાવેદારી નોંધાવી છે. જયારે ઇસનપુર વોર્ડમાંથી વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલે દાવેદારી કરી છે. જયારે મણિનગર વોર્ડમાંથી પૂર્વ મેયર અસિત વોરા, પૂર્વ કાઉનસીલર રમેશ પટેલ અને મહેશ કસવાલાએ પણ દાવેદારી નોંધાવી છે. જયારે ખોખરા વોર્ડમાંથી પૂર્વ કાઉન્સિલર નયન બ્રહ્મભટ્ટ અને મહેન્દ્ર પટેલે દાવેદારી રજુ કરી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ ઉમેદવાર તરીકે દાવેદારી કરી છે. કમલેશ પટેલ ધારાસભ્ય તરીકે રહ્યા બાદ નરેન્દ્ર મોદી એ 2002માં આ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને 75000 વોટથી જીતીને સળંગ 2007 અને 2012 માં પણ જીત મેળવી હતી. ત્યાર બાદ એમના પ્રધાનમંત્રી બન્યા બાદ આ વિધાનસભામાંથી સુરેશભાઈ પટેલે 2014ની પેટા ચૂંટણીમાં નામાંકન ભરી ને 55000 વોટથી જીત મેળવી હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments