Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 600 કરોડનો ખર્ચ થવાની શકયતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 600 કરોડનો ખર્ચ થવાની શકયતા
Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:10 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 600 કરોડનો ખર્ચ થવાની શકયતા 

ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષોને પ્રચારના ખર્ચની મર્યાદા ચૂંટણીપંચ દ્વારા બાંધવામાં આવી છે. તેમ છતા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 600 કરોડથી વધુનો ખર્ચ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૨૩ કરોડનો અને કૉંગ્રેસ દ્વારા ૭૨.૬૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્ય ચૂંટણી ઓફિસરના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી પાછળ ૧૭૫ કરોડનો ખર્ચ કર્યો હતો. આ વખતે ચૂંટણી પંચને ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ભાજપે ૨૦૧૨માં ૧૨૪ કરોડ તો કૉંગ્રેસે રૂ. ૭૨.૬૬ કરોડનો ખર્ચ કર્યો હતો તેવુ પંચને જણાવવામાં આવ્યુ હતું. ૨૦૧૨ની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને રૂ. ૭૧.૫૩ કરોડનું દાન મળ્યું હતુ. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા હિસાબો દર્શાવે છે કે, ભાજપ પ્રદેશ એકમ પાસે રૂ. ૧૭૦ કરોડનું ૨૦૧૧-૧૨માં બેલેન્સ હતુ. તેને રૂ. ૫૩.૨૯ કરોડનું દાન મળ્યું હતું અને એ ગાળામાં રૂ. ૧૨૪.૪૪ કરોડનો ખર્ચ કર્યો હતો. ચૂંટણીના હિસાબો બંધ થવાના દિવસે પક્ષ પાસે ૧૫૬.૬૦ કરોડનું બેલેન્સ હતું. રાજકીય પક્ષો રૂ. ૩૦૦ કરોડનો ખર્ચ કરશે. રાજકીય પક્ષો ઉપરાંત ઉમેદવારો પણ પોતાની રીતે ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરશે જે પક્ષના ખાતામાં નહી જાય. વ્યકિતગત રીતે કોઈપણ ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂ. ૨૮ લાખ છે. મતલબ કે આ વખતે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોના ખર્ચને અંદાજિત કરીએ તો કુલ ૫૫૦ કરોડનો ખર્ચ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષો કેટલા ખર્ચશે એનો સાચો આંકડો બહા આવશે નહીં, પરંતુ ૨૦૧૭ની આ ચૂંટણી 600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments