Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખામીયુક્ત વીવીપેટ મશીનો: ;ચૂંટણી પંચને ગુજરાત હાઇ કોર્ટની નૉટિસ

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:03 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં
પ્રથમ વખત ઈવીએમની સાથે વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા વીવીપેટ મશીનોની તપાસ કરતા ૩૫૫૦ જેટલા મશીન ખામીયુક્ત નીકળ્યા હતા જેથી આ મામલે કૉંગ્રેસે હાઈકૉર્ટમાં અરજી કરીને વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય તેવી માગ કરી હતી. હાઈ કૉર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારી, રાજ્યના ચૂંટણી પંચના અધિકારીને નોટિસ પાઠવી હતી.કેસની હકીકત અનુસાર ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં યોજાવાની છે જેમાં પ્રથમવાર ઈવીએમની સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરાશે. દરમિયાન કૉંગ્રેસે હાઈ કૉર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે, ચૂંટણી પંચના પ્રથમ ચરણની તપાસમાં લગભગ ૩૫૫૦ જેટલા વીવીપેટ મશીન ખામીયુક્ત નીકળ્યાં હતા. વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ. કૉંગ્રેસના નેતા હિમાશું પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉપયોગમાં લેવનારા વીવીપેટ મશીનો પૈકી ૭૦ હજાર મશીનો ફોલ્ટવાળા નીકળ્યા છે. કૉંગ્રેસ આ બાબતે ન્યાયીક કાર્યવાહી કરવા અરજી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments