Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bihar News - પત્ની અને 3 પુત્રીઓના કાપ્યા ગળા, પહેલા પણ એક બાળકીને ટ્રેનમાંથી ફેંકી ચુક્યો છે આરોપી પિતા

Murder in Motihari
Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (17:55 IST)
બિહારના મોતીહારી જીલ્લાના પહાડપુર પોલીસ મથકમાં એક દિલ ધ્રુજાવનારી ઘટના સામે આવી છે. ગુરૂવારે મોડી રાત્રે સનકી પતિએ ધારદાર હથિયાર વડે પત્ની અને ત્રણ પુત્રીઓની હત્યા કરી નાખી છે. એવુ બતાવાય રહ્યુ છે કે સૂતી વખતે એ ચારેયના ગળા કાપીને હત્યાને અંજામ આપવામાં આવ્યો. હત્યા પછી આરોપી પતિ ફરાર છે.  આ ઘટના પછી વિસ્તારમાં હડકંપ મચી ગયો. આસપાસ લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. બીજી બાજુ સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોચી ગઈ. પોલીસ મામલાની તપાસમાં લાગે છે. 
 
જાણો શુ છે આખો મામલો 
હત્યાકાંડ એટલો બીભત્સ છે કે લોકો તેમના વિશે જાણીને ધ્રુજી ઉઠે છે. આખી ઘટના પહાડપુર પોલીસમથક ક્ષેત્રના બાવરિયા ગામની બતાવાય રહી છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા કોઈ વાતને લઈને વિવાદ થયો હતો.  એવુ બતાવાય રહ્યુ છે કે આરોપી ઈર્દુ મિયાનો કોઈ વાતને લઈને પત્ની અફરીના ખાતૂન (40) સાથે ઝગડો થયો હતો. ત્યારબાદ તેણે પત્ની અને ત્રણ પુત્રીઓને નશાની દવા આપી અને પછી બધાનુ ગળુ કાપી નાખ્યુ. ત્રણ મૃત છોકરીઓની ઓળખ અબરૂન ખાતૂન, શબરૂન ખાતૂન અને સહજાદી ખાતૂનના રૂપમાં થઈ છે. ત્રણેય બાળકીઓની વય 8 થી 15 વર્ષની વચ્ચે છે. 
 
પહેલી પત્નીની હત્યા મામલે પણ જેલ જઈ ચુક્યો છે આરોપી 
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યારો મોહમ્મદ ઈડા પહેલાથી જ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હતો. તે પહાડપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈયાનો રહેવાસી હતો જ્યાં તેણે તેની પ્રથમ પત્નીની હત્યાના આરોપમાં જેલની સજા પણ ભોગવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે સરૈયા ગામ છોડ્યું, બાબરિયામાં જમીન ખરીદી, ઘર બનાવ્યું અને બીજા લગ્ન કર્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments