Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગેનીબેનની મુશ્કેલીઓ વધી: બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.ડી. રાજપૂતનું રાજીનામું

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (17:04 IST)
DD RAJPUT


- અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો 
- વધુ એક કોંગ્રેસના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે પક્ષનો છેડો ફાડ્યો
- તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે.
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતથી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે પક્ષનો છેડો ફાડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે. કોંગ્રેસના દિગ્ગજોએ પક્ષ છોડતા હવે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેનની મુશ્કેલીઓ વધી શકે છે. 
DD Rajput resignation
કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકારતા લાગણી દુભાઈ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ તાલુકાના કોંગ્રેસના અગ્રણી ડી.ડી રાજપૂતે પોતાના ફાર્મહાઉસ ઉપર બેઠક બોલાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે. દેશમાં અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા તેમની લાગણી દુભાઈ હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર પદેથી રાજીનામું આપ્યું હોવાનું ડી.ડી રાજપૂતે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે,  આવનાર સમયમાં સમાજના આગેવાનો અને યુવાનો સાથે ચર્ચા કરી અને નિર્ણય લઈશ. 
 
ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો
થરાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 2017માં વિધાનસભાની ચૂંટણી લડેલા આગેવાને પાર્ટીમાંથી રાજીનામું આપતાં બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 31 માર્ચના રોજ સી.આર પાટીલના હસ્તે ડી.ડી રાજપૂત કેસરિયો ખેસ ધારણ કરશે.બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. થરાદ-વાવ રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસના કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે. ડી.ડી રાજપૂતે પોતાના ફાર્મહાઉસ ખાતે બેઠક બોલાવી કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments