Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં મળનારા કોરોના વાયરસના વેરિએંટને WHO એ બતાવ્યા ટેંશન વધારનારા

Webdunia
સોમવાર, 10 મે 2021 (22:43 IST)
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે રોજ મોટી સંખ્યામાં મામલા સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમા કહેવામાં આવ્યુ છે કે આ લહેરમાં કોરોનાનો ભારતમાં મળેલો વેરિએંટ પણ ખૂબ સંક્રમણ ફેલાવી રહ્યો છે. કોરોનાના આ વેરિએંટ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચિંતા બતાવી છે.   ડબલ્યુએચઓએ કહ્યુ છે કે આ વેરિએંટ ચિંતિત કરવાનુ છે. 

<

#BREAKING World Health Organization (WHO) labels coronavirus strain in India 'variant of concern' pic.twitter.com/JaWTn9NW6B

— AFP News Agency (@AFP) May 10, 2021 >
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીફ સાયંટિસ્ટ પણ આ વેરિએંટ પર ચિંતા બતાવી ચુકી છે. ડબલ્યુએચઓની ચીફ સાયંટિસ્ટ સોમ્યા સ્વામીનાથને કહ્યુ હતુ કે ભારતમાં ફેલાય રહેલ કોવિડ-19 વેરિએંટ  ખૂબ સંક્રામક છે અને આ વેક્સીનને પણ બેઅસર કરી શકે છે. એએફપીની સાથે ઈંટરવ્યુમાં સૌમ્યા સ્વામીનાથને ચેતાવણી આપી કે મહામારીની આ ફીચર જે આજે અમે ભારતમાં જોઈ રહ્યા છે, તે સંકેત આપી રહ્યો છે કે આ એક ઝડપથી ફેલનારો વેરિએંટ છે. તેમણે કહ્યુ કે ભારતમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં વેરિએંટ B.1.617 ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. 
 
સૌમ્યા સ્વામીનાથને કહ્યુ હતુ કે B 1.617 એક ચિંતિત કરનારો વેરિએંટ છે, કારણ કે આ મ્યૂટેટ કરે છે. જેનાથી ટ્રાંસમિશન પણ વધે છે. સાથે જ આ વૈક્સીન દ્વારા કે પછી સંકમણ શરીરમાં બનેલ એંટીબૉડીઝને પણ બેઅસર કરી શકે છે. જો કે તેણે એ પણ કહ્યુ કે ફક્ત આ વેરિએંટને ભારતમાં સંક્રમણને વધવા અને મોત થવા માટે દોષી ઠેરવી શકાતો નથી. 
 
 
#BREAKING World Health Organization (WHO) labels coronavirus strain in India 'variant of concern' pic.twitter.com/JaWTn9NW6B
 
— AFP News Agency (@AFP) May 10, 2021
 
ડબલ્યુએચઓના ઉપરાંત, બ્રિટન પણ ભારતમાં મળેલ કોરોનાના આ વેરિએંટને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે.  બ્રિટનના પબ્લિક હેલ્થ ઈગ્લેંડ ડિપાર્ટમેંટની વીતેલા શુક્રવારેને કહ્યુ હતુ કે આ અન્ય વેરિએંટ્સની તુલનામાં ઝડપથી તેજી ફેલાવનારુ સ્વરૂપ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન પણ અધિકારીઓ પાસેથી આ વિશે માહિતી લઈ ચુક્યા છે. 
 
સતત ચાર દિવસ કોરોનાના ચાર લાખથી વધુ નવા મામલા સામે આવ્યા પછી ભારતમાં સોમવારે એક દિવસમાં કોવિદ-19ના 3,66,161 મામલો સામે આવ્યો છે અને આ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને 2,26,62,575 થઈ ગયા. સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના ડેટા મુજબ  3,754 અને લોકોની સંક્રમણના કારણે મોત થયા પછી કુલ મૃતક સંખ્યા વધીને 2,46,116 થઈ ગઈ છે. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments